SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૨૭ સમાચારીના ને પ્રાયશ્ચિત્તના દશ ભેદે કહીને અંતે તપના બાર ભેદનું સવિસ્તર વર્ણન કર્યું છે. ૮. આઠમા ઉદ્દેશામાં નારકાદિને ઉપજવાની રીત અને તેમની ગતિનું કારણ તથા ઉત્પત્તિનાં કર્માદિ કારણે જણાવ્યાં છે. ૯ માથી ૧૨ મા સુધીના ૪ઉદ્દેશામાં અનુક્રમે ભવસિદ્ધિક નારકની ઉત્પત્તિની, અભવસિદ્ધિક નારકોની ઉત્પત્તિની, સમ્યગ્દષ્ટિ નારકની ઉત્પત્તિની ને મિથ્યાદષ્ટિ નારકની ઉત્પત્તિની બીના જણાવી છે. શ્રીભગવતીજીના ૨૫મા શતકનો ટ્રેક પરિચય પૂરો થયો. શ્રીભગવતીજીના ર૬મા શતકને ટૂંક પરિચય આના ૧૧ ઉદ્દેશા છે. તેમાં પહેલા ઉદ્દેશામાં છવદ્વારાદિ ૧૧ દ્વારોમાં પાપ કર્મનાં બંધની બીના જણાવી છે. એટલે ૧, જીવ દ્વારમાં સામાન્ય જીવને આશ્રયી પાપકર્મના બંધની બીના કહી છે. ૨. વેશ્યા દ્વારમાં તેજ બીના વેશ્યાવાળા જીવોને આશ્રયી કહી છે. ૩. પાક્ષિક દ્વારમાં કૃષ્ણપાક્ષિક ને શુકલપાક્ષિક જીવોને આશ્રયી તે બીના કહી છે. ૪. દષ્ટિદ્વારમાં મિથ્યાષ્ટિ સમ્યગ્દષ્ટિ આદિને આશ્રયી, પ-૬ જ્ઞાન અને અજ્ઞાન દ્વારમાં જ્ઞાની અજ્ઞાની છોને આશ્રયી, ૭. સંજ્ઞા દ્વારમાં સંજ્ઞાવાળા જીવોને આશ્રયી. ૮. વેદ દ્વારમાં વેદોદયવાળા જીવાદિને આશ્રયી તે બીના કહી છે. ૯, કષાય દ્વારમાં કવાયી આદિ જીવોને આશ્રયી, ૧૦-૧૧, ગ દ્વાર અને ઉપયોગ દ્વારમાં અનુક્રમે યોગ અને ઉપયોગવાળા જીવોને આશ્રયી પાપકર્મોના બંધની બીના કહી છે. પછી નારકાદિ જીવોને આશ્રયી જ્ઞાનાવરણીયના, વેદનીથના, મેહનીયના, આયુષ્યના અને પાપકર્મના બંધની બીના વિસ્તારથી સમજાવી છે. બીજા ઉદ્દશામાં અનંતરો પપન નારકને આશ્રયી તથા ત્રીજા ઉદ્દેશામાં પરંપરોપપન નારકને આશ્રયી પાપકર્મના બંધની બીના કહી છે. ચાથા ઉદ્દેશામાં અનંતરાવગાઢ નારકને આશ્રયી, પાંચમા ઉદ્દેશામાં પરંપરાગાઢ નારકોને આશ્રયી કર્મબંધની બીના કહી છે. છઠ્ઠા ઉદ્દેશામાં અનંતર આહારકનારકોને આશ્રયી. સાતમા ઉદેશમાં પરંપરા આહરક નારકોને આશ્રયી કર્મબંધની બીના કહી છે, આઠમા ઉદેશામાં અનંતરપર્યાપ્ત નારકને આશ્રયી, નવમા ઉદ્દેશામાં પરંપર પર્યાપ્ત નારકોને આશ્રયી કર્મબંધની બીના કહી છે. દશમા ઉદ્દેશામાં ચરમ નારકોને આશ્રીને કમ બંધની બીના જણાવી છે. ૧૧ માં ઉદ્દેશામાં અચરમ નારક, અચરમ મનુષ્ય તથા લેશ્યાવાળા અચરમ મનુષ્યને ઉદ્દેશીને કર્મબંધની બીના કહીને અચરમ નારકો આશ્રયી જ્ઞાનાવરણીયાદિ કર્મોના બંધની બીના કહી છે. શ્રીભગવતીજીના ૨૬મા શતકને ટૂંક પરિચય પૂરો થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy