SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૨૩ વાનભંતર ભવમાં ઉત્પાદાદિની બીના જણાવતાં ર૦ ધારેની જરૂરી બીના કહી છે. તેવીસમા ઉદ્દેશામાં અસંખ્યાત સંખ્યાત વર્ષોના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના જ્યોતિષ્ક દેવોમાં ઉત્પાદાહિની બીના અને ૨૦ દ્વારેની પણ જરૂરી બને કહી છે. અહીં અસંગી જીવો તિકપણું પામતા નથી માટે તેમને વિચાર કર્યો નથી. ચોવીસમા ઉદ્દેશામાં અસંખ્ય વર્ષાયુષ્ક સંય વર્ષાયુષ્ક જઘન્ય ઉત્કૃષ્ટાયુષ્યવાળા સંજ્ઞી તિર્યંચના અને મનુષ્યોના વૈમાનિકમાં ઉત્પાદાદિની બીના જણાવતાં તે ૨૦ દ્વારની પણ જરૂરી બીના જણાવી છે. અહીં યાદ રાખવાનું એ કે ઉપજનારા સંજ્ઞા તિર્યંચ મનુષ્યમાં કઈક જીવ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા હોય, તેમજ અસંખ્યાતાં વર્ષોના આયુષ્યવાળા પણ કેટલાએક હેય છે. તેમાં પણ કેટલાએક છવો જઘન્યાયુષ્યવાળા હોય ને કેટલાએક ઉત્કૃષ્ટાયુષ્યવાળા પણ હોય છે. આ જ પદ્ધતિએ જ્યાં ઉપજવાનું હોય તે સ્થાનમાં રહેલા દેવ વગેરેની ઘટતી બીના સમજવી. યુગલિયા મનુષ્ય તિયા મરીને જરૂર દેવગતિમાં જ જાય. તેમાં યુગલિયાપણમાં જેટલું આયુષ્ય હોય, તેટલી અથવા તેથી ઓછી સ્થિતિ (આયુષ્ય) વાળા દેવલેકમાં દેવપણું પામે. તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્ધરો આઠમા દેવલોક સુધીજ જાય, તે પછીના દેવલોકમાં મનુષ્ય જ જઈ શકે છે. તેમજ અભવ્ય છે પણ દ્રવ્યચારથી નવમાં ગ્રેવેયક સુધી જ જાય. તેથી આગળ ભાવચારિત્રી જી જ અનુત્તર વિમાનવાસી દેવપણું પામે. શ્રી ભગવતીજીના ચોવીશમા શતકને ટૂંક પરિચય પૂરો થયો. શ્રી ભગવતીજીના પચ્ચીસમા શતકને ટૂંક પરિચય આના ૧૨ ઉદ્દેશ છે, તેના સારભૂત અર્થને જણાવનારી સંગ્રહગાથા કહી છે. તેનો અર્થ આ પ્રમાણે જાણવો:–પહેલા ઉદ્દેશામાં વેશ્યાદિની બીના કહી છે. બીજા ઉદ્દેશામાં દ્રવ્યની, ત્રીજા ઉદ્દેશામાં સંસ્થાદિની બીના, ચોથા ઉદ્દેશામાં સુગ્મકૃતયુગમાદિની બીના, પાંચમા ઉદ્દેશામાં પર્યવ વગેરેની બીના કહી છે. છઠ્ઠા ઉદ્દેશામાં પુલાકાદિ નિર્મની, સાતમા ઉદ્દેશામાં શ્રમણની ને આઠમા ઉદ્દેશામાં નારકાદિની ઉત્પત્તિની બીના કહી છે. નવમા ઉદ્દેશામાં ભવ્ય નારકાદિની બીના, દસમા ઉદ્દેશામાં અભવ્ય નારકાદિની બીના, અગિયારમા ઉદ્દેશામાં સમ્યગ્દષ્ટિ નારકાદિની બીના તથા ૧રમાં ઉદેશામાં મિથાદષ્ટિ નારકાદિની બીને વર્ણવી છે, ૧. પહેલા ઉદેશામાં લેશ્યાની બીના ને સંસારી જીવોના ૧૪ ભેદો તથા જઘન્ય યોગેનું ને ઉત્કૃષ્ટ ગોનું અલ્પબહુ જણાવીને પહેલાં સમયમાં ઉત્પન્ન થયેલા બે નારકીને આશ્રયી યોગની બીના એટલે તેમના સમ વિષમ યોગિપણાનો નિર્ણય કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy