SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપધસૂરીશ્વરકૃત મોહનીયના બંધનો વિચાર, ૨, વર્તમાનકાલનો વિચાર, “બાંધે છે વગેરે, ૩. ભૂતકાલનો વિચાર, જેમ બાંધ્યું વગેરે, ૪, ભવિષ્યકાલનો વિચાર, જેમ બાંધશે વગેરે. આ રીતે ચાર ભેદા કૃત, ચિત અને ઉપસ્થિતમાંના એકેક પદાર્થને કહ્યા છે. એટલે સામાન્ય ક્રિયા, ભૂતકાળની ક્રિયા, વર્તમાનકાળની ક્રિયા, ને ભવિષ્યકાળની ક્રિયા, આ ચાર ભેદ, કૃત વગેરે ત્રણ પદાર્થોને અંગે પ્રશ્નોત્તરોમાં વિચાર્યા છે. અને છેવટના ઉદીરિત, વેદિત અને નિઈ પદાર્થોમાંના દરેકમાં માત્ર ત્રણ કાળની જ ક્રિયા કરી છે. આ રીતે ત્રીજા ઉદ્દેશાની સંગ્રહ ગાથાના અર્થમાં ત્રીજા દિશામાં કહેલી બીનાનો સાર આવી જાય છે. જે મૂંઝાવે તે મોહનીય (કર્મ) કહેવાય, દર્શનમેહનીયની જ ચાલુ પ્રસંગે જરૂરિયાત છે. આ ઇરાદાથી મેહનીય શબ્દની પહેલા કાંક્ષા શબ્દની યોજના કરી છે. કાંક્ષાહનીયને શબ્દાર્થ ટીકામાં આ રીતે કહ્યો છે. જે બીજે બીજા દર્શનના વિચારો માનવા એટલે અમુક જ મત સાચે ન માનતાં બીજા બીજા ધર્મના વિચારોમાં તણાઈ જવું, ક્ષણે ક્ષણે, મત વિશેના વિચારો બદલાય, તે કાંક્ષા કહેવાય. કાંક્ષારૂપ (મેહ પમાડનારું) જે મેહનીય તે કાંક્ષામહનીય એટલે મિથ્યાત્વ મોહનીય જાણવું. આના ચય (સામાન્યથી કર્મ બંધ), ઉપચય (ગાઢ કર્મનું બાંધવું), ઉદીરણ (અપૂર્ણ કાલે વહેલા કર્મનું ભોગવવું), નિજ રણ (ભેગવાયેલા કર્મોનું આમપ્રદેશથી ધીમે ધીમે જુદા પડવું)ની વૈકાલિક બીના નારકાદિ ર૪ દંડકમાં વર્ણવી છે. પછી સંગ્રહગાથાનું રહસ્ય જણાવી તે કાંક્ષામહને ભેગવવાની રીત જણાવતાં કહ્યું છે કે ૧. સંદેહ કરવાથી, ૨. જિનધર્મને તજી અન્યધર્મને ગ્રહણ કરવાથી, ૩. ફલની શંકા કરવાથી, છે. શું આ જિનધર્મ (જિનશાસન) છે કે બૌદ્ધાદિને ધર્મ એ જિનશાસન છે, આ રીતે અનિશ્ચય રૂ૫ મતિભંગ થવાથી, પ, કલુષ ભાવ ધારણ કરવાથી, એટલે “આ શ્રી જિનેશ્વર કહેલી બીના સાચી નથી. આ રીતે બુદ્ધિના વિપરીત પણાથી; (આ પાંચ કારણરૂપે) કાંક્ષામહનીય કમ ભેગવાય છે. આથી જણાવ્યું કે આ પાંચ સ્વરૂપમાંના કોઈ પણ એકાદિ સ્વરૂપે કાંક્ષામહ ભગવાય છે. પછી કહ્યું કે જિનેશ્વરદેવોએ કહેલાં વચનો સાચાં છે. તેમાં શંકાને સ્થાન છે જ નહિ, આવી ધારણાથી (દઢતા) મોક્ષમાર્ગને સાધનારા છ આરાધક કહેવાય, પછી અસ્તિત્વ (હેવાપણા ના, ને નાસ્તિત્વના પરિણામના વિચારો જણાવતાં પ્રયોગ અને સ્વભાવના કાર્યો જણાવ્યાં છે, પછી કાંક્ષામહના બંધના વિચારો જણાવી તેને બાંધવાનું કારણ તરીકે પ્રમા બને યોગ કહ્યા છે. અહીં પ્રસંગે એ પણ કહ્યું છે કે પ્રમાદને ઉત્પન્ન કરનાર યોગ છે. યોગનું જનક વીર્ય ને વીર્યનું જનક શરીર છે. શરીરને ઉપજાવનાર જીવ છે. પછી ઉત્થાન અને કર્માદિની હયાતિ જણાવી ઉદીરણ, ગહણ અને સંવરણનું સ્વરૂપ જણાવી કહ્યું કે ઉદીરણ યોગ્ય કર્મ પુદ્ગલનું ઉત્થાનાદિ વડે ઉદીરણ થાય, અનુદીનો ઉપશમ થાય ને ઉદયમાં આવેલાની નિજ થાય, પછી એ કાંક્ષામોહન વેદનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy