SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] (૧૬) અર્થની સૂત્ર રૂપે રચના કરવાના ૬ કારણે કયા કયા? (૧૭) પ્રવચન શબ્દના જૂદા જૂદા અર્થો કયા કયા? (૧૮) ચાર અનુયાગોના નામ, વ્યાખ્યા, ફલ, વગેરેનું સ્વરૂપ શું? (૧) હાલ વર્તમાન દરેક આગમમાં કયા કયા અનુયોગની મુખ્યતા છે? (૨૦) શ્રી જૈનાગોમાં અપૂર્વ તત્ત્વજ્ઞાન કયું કયું રહ્યું છે? વગેરે બહુ જ જરૂરી પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે, અને ૧૧ અંગે નિયુક્તિ અદિ સાધનોની સંક્ષિપ્ત હકીકતો પહેલા પ્રકાશમાં જણાવી છે. અને બીજા પ્રકાશથી માંડીને તેરમા પ્રકાશ સુધીના ૧૨ પ્રકાશમાં ક્રમસર શ્રી આચારાંગ સૂત્ર વગેરે ૧૨ અંગેના સંક્ષિપ્ત પરિચયાદિની હકીકતો વર્ણવી છે. જો કે બારમા અંગ (દષ્ટિવાદ)ને વિછેર થયો છે, તે પણ તેના પરિકર્માદિ ભેદની અને પ્રભેદાદિની બીનાઓ શ્રી નંદીસૂત્રાદિમાંથી વર્ણવી છે. આ રીતે ૧૩ પ્રકાશને સમુદાય રૂપ પહેલા વિભાગમાં દ્વાદશાંગીના ટૂંક પરિચયાદિને કહીને આ શ્રી જેન પ્રવચન કિરણાવલીનો પહેલો વિભાગ પૂર્ણ કર્યો છે. ૨. બીજા વિભાગના ૭ પ્રકાશમાં બાર ઉપાંગોનું વર્ણન કરતાં ૧૪-૧૫-૧૬-૧૭ મા પ્રકાશમાં અનુક્રમે પહેલાં ચાર ઉપગના સંક્ષિપ્ત પરિચયાદિને કહીને ૧૮ મા પ્રકાશમાં સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ રૂપ બે ઉપગને ટૂંક પરિચય વગેરે બીનાઓ સ્પષ્ટ સમજાવી છે. પછી ૧૯ માં પ્રકાશમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના, ને ૨૦માં પ્રકાશમાં છેલ્લા પાંચ ઉપાંગોના સમુદાય રૂપ નિરયાવલિકા સૂત્રના સંક્ષિપ્ત પરિચય વગેરેનું વર્ણન કરીને બીજો વિભાગ પૂર્ણ કર્યો છે, ૩. ત્રીજા વિભાગમાં ફક્ત એક જ પ્રકાશમાં એટલે એકવીશમાં પ્રકાશમાં દશ પન્નાઓનું સંક્ષિપ્ત પરિચયાદિમાં વર્ણન કરીને ત્રીજો વિભાગ પૂર્ણ કર્યો છે. ૪, ચેથા વિભાગના ૬ પ્રકાશમાં (રર-ર૩-૨૪-૨૫-૨૬-૨૭મા પ્રકાશમાં). ક્રમસર ૪ મૂલ સૂત્રોના અને શ્રીનંદીસૂત્ર તથા અનુગદ્વાર સૂત્રોના સંક્ષિપ્ત પરિચયાદિનું વર્ણન કરીને ચોથો વિભાગ પૂર્ણ કર્યો છે. - પ. પાંચમા વિભાગના ૨૮મા પ્રકાશમાં–૬ છેદ સૂત્રોના સંક્ષિપ્ત પરિચયાદિનું વર્ણન કરીને પાંચ વિભાગ પૂર્ણ કર્યો છે. આ રીતે શ્રી જૈન પ્રવચન કિરણાવેલી ગ્રંથના પાંચ વિભાગને ૨૮ પ્રકાશમાં એટલે પ્રાકૃત ર૪૪ આર્યા છંદમાં રચેલા શ્વેમાં ૪૫ જિનાગનું જે સંક્ષિપ્ત વર્ણન કર્યું છે, તેને ટૂંક સાર આ પ્રમાણે જાણવો: - (૧) શ્રી આચારાંગમાં શ્રમણ નિJથાના આચારાદિનું વર્ણન કર્યું છે, (૨) શ્રી સૂત્રકૃતાંગમાં છવ અજીવ વગેરે સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત ક્રિયાવાદી વગેરેના ૩૬૩ ભેદ (પાખંડિયો) વગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે. ટૂંકમાં કહી શકાય કે-ચરણકરણ સિત્તરીની પ્રરૂપણા કરતાં સંયમ લેનાર જીવોને અનુકૂલ ઉપસર્ગો સહન કરવાનું, ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy