SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજ્યપધસૂરીશ્વરકૃત મેરુ પર્વતના ઉત્તર છેડાથી દકસીમ નામના આવાસ પર્વતના દક્ષિણ છેડા સુધી સત્તાશી હજાર યોજનાનું આંતરું છે. મહાહિમાવાન પરના કૂટના ઉપરના છેડાથી સૌગંધિક કાંડના નીચેના છેડા સુધી સત્તાશી સે યોજનાનું આંતરું છે, એ જ પ્રમાણે રુકમીના કૂટનું પણ જાણવું (૮૮) અઠ્ઠાશીમા સમવાયમાં કહ્યું છે કે દરેક ચંદ્ર સૂર્યને અાશી અાશી મહાગ્રહો રૂપ પરિવાર છે, દષ્ટિવાદનાં અાશી સૂત્રો છે. મેરુ પર્વતના પૂર્વ છેડાથી ગેસ્તંભ નામના આવાસ પર્વતને પૂર્વ છેડા સુધી અઠ્ઠાશી હજાર જનનું આંતરૂં છે. એ જ પ્રમાણે બાકીની ત્રણે દિશામાં જાણવું. સર્વ આત્યંતરમંડળરૂપ બહારની ઉત્તર દિશાથી દક્ષિણાયન તરફ આવતો સૂર્ય ગુમાળીશમા મંડળે આવે ત્યારે મુહૂર્તના એકસઠીયા અઠ્ઠાથી ભાગ જેટલી દિવસની હાનિ કરીને અને તેટલી જ રાત્રિની વૃદ્ધિ કરીને ચાલે છે. તથા દક્ષિણ દિશાથી ઉત્તરાયણ તરફ આવતે સૂર્ય ગુમાળીશમા મંડળે આવે ત્યારે મુહૂર્તન એકસઠીયા અાશી ભાગ જેટલી રાત્રિની હાનિ કરીને અને તેટલી જ દિવસની વૃદ્ધિ કરીને ચાલે છે, (૮૯) નેવાસીમાં સમવાયમાં કહ્યું છે કે શ્રીહષભદેવ ભગવાન આ અવસર્પિણના ત્રીજા આરાને છેડે નેવાશી પખવાડીયા બાકી રહ્યા ત્યારે નિર્વાણ પામ્યા, શ્રી મહાવીર સ્વામી આ અવસર્પિણુના ચોથા આરાના નેવાશી પખવાડીયા બાકી હતા ત્યારે નિર્વાણ પામ્યા. હરિપેણ નામના ચક્રવર્તીએ નેવાશી સે વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું, શ્રી શાંતિનાથપ્રભુને નેવાશી હજાર સાધ્વીઓની સંપદા હતી. (૯૦) નેવુંમા સમવાયમાં કહ્યું છે કે–શ્રી શીતળનાથપ્રભુ નેવું ધનુષ ઊંચા હતા. શ્રીઅજીતનાથપ્રભુને નેવું ગણ અને નેવું સણધર હતા, સ્વયંભૂ વાસુદેવે તેવું વર્ષ દિગ્વિજય કર્યો હતો, તે વૃત્ત વૈતાઢય પર્વતોના ઉપરના છેડાથી સૌધિક કાંડના હેઠલા છેડા સુધી નેવું સે યોજનાનું આંતરૂં છે. (૧) એકાણુમા સમવાયમાં કહ્યું છે કે બીજાનું વૈયાવૃત્ય કર્મ કરવાની પ્રતિમાએ એકાણું છે. કાલોદધિની પરિધિ સાધિક એકાણુ લાખ યોજનની છે. શ્રીકશુંનાથ પ્રભુને એકાણું સે અવધિજ્ઞાનીઓ હતા, આયુ અને ગેત્ર એ બે કર્મ વિના બાકીના છ કર્મની એકાણું ઉત્તર પ્રવૃતિઓ છે. (એમાં નામકર્મની ૪૨ ગણેલ છે.) (૯૨) બાણમાં સમવાયમાં કહ્યું છે કે બાણ પ્રતિમાઓ વિશેષ પ્રકારના અભિગ્રહરૂપ છે, ઇંદ્રભૂતિ ગણધર બાણ વર્ષનું કુલ આયુષ્ય પાળી સિદ્ધ થયા, મેર પર્વતના પશ્ચિમ છેડા સુધીમાં બાણું હજાર યોજનાનું આંતરૂં છે. એ જ પ્રમાણે બાકીના ત્રણેનું જાણવું. (૯૩) ત્રાણુમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીચંદ્રપ્રભુને ત્રાણુ ગણ અને ત્રાણુ ગણધરો હતા. શ્રી શાંતિનાથપ્રભુને ત્રાણુ સે ચૌદપૂવ હતા, ત્રાણુમા મંડળે રહેલો સૂર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy