SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રીવિજયપદ્રસૂરીશ્વરકૃત કર, પ૩થી પ૫, ૭૦, ૮૨, ૮૩, ૮૯ વગેરે ૧૯ સૂત્રોમાં પ્રભુ શ્રી મહાવીરદેવની બીના છુટક છુટક જણાવી છે. તેમજ યોગ્ય પ્રસંગે ચોમાસાના ૧૨૦ દિવસોને ૫૦ અને ૭૦ દિવસોમાં આ રીતે વહેંચી તે બંનેની ઉચિત મર્યાદા પણ જણાવી છે. ૩૧, સ્પષ્ટાર્થ–સમવાયાંગમાં કહેલી બીનાને સાર અહીં ૩૧મા શ્લોક સુધીના શબ્દાર્થમાં સ્પષ્ટ કહે છે, તેથી તે સંબંધી વિશેષ વર્ણન કરવાનું અનુચિત ધારી આખા સમવાયાંગસૂત્રને સાર ઢંકામાં જણાવું છું, શ્રીસમવાયાંગ સૂત્રને સાર બાર અંગોમાં આ ચોથું અંગ છે. તેમાં એકાદિ ક્રમે કરીને પદાર્થો કહેલા હોવાથી આસન્નસિદ્ધિક ભવ્ય જીવોને સાંભળવામાં ને ભણવામાં આનંદ પડવાની સાથે મનમાં એવી તીવ્ર ઉત્કંઠા વધતી જ જાય છે કે જે સાંભળ્યું, તેમાં આવો અપૂર્વ રસ પડે છે, તે આગળ કેવી સરસ બીના આવશે? આવો તીવ્ર ઉત્સાહ આગળ આગળ વધતો જતો હોવાથી આને સાંભળતાં ને ભણતાં લગાર પણ મન કંટાળતું નથી. શ્રીસ્થાનાંગસૂત્રના કમ જે આનો ક્રમ છે તેથી જેમ ત્યાં કહ્યું છે તેમ અહીં પણ ટૂંકામાં સમજી લેવું કે આ સૂત્રનું શ્રવણ કે અધ્યયન (સાંભળવું કે ભણવું) બુદ્ધિનો વિકાસ કરનારું છે. ને કર્મોના ક્ષાપશમ વગેરે પણ એથી જરૂર થાય છે. તથા જે બીના ઘણાં શાસ્ત્રોના સાંભળવાથી કે ભણવાથી જણાય, તે બીના આ ત્રીજા-ચોથા અંગને સાંભળવાથી કે ભણવાથી થોડા સમયમાં જાણી શકાય છે. તેમાં પણ જે કેટલીક હકીકત બીજાં સૂત્રો સાંભળતાં કે ભણતાં ન જાણવામાં આવી હોય તેવી પણ હકીકત આ સૂત્રના શ્રવણથી કે અભ્યાસથી જણાય છે. માટે જ કહ્યું કે જે મુનિએ દીક્ષા પર્યાયના ક્રમે યોગદ્વહન વિનાદિથી ગુરૂમહારાજની પાસે આ ત્રીજા ચેથા અંગસૂત્રોને ભણ્યા હેય, તે મુનિઓ જઘન્ય ગીતાર્થ અથવા જઘન્ય સ્થવિર કહેવાય. આ પ્રસંગે જણાવવું જરૂરી છે કે નિશીથસૂત્રાદિના જાણકાર મુનિવરે મધ્યમ સ્થવિર કહેવાય, ને જે કાલે જેટલા સૂત્રાદિ ગ્રંથ હયાત હોય, તે બધાં શાસ્ત્રના જાણકાર મુનિએ ઉત્કૃષ્ટ સ્થવિર કહેવાય. તેમજ ભણેલા સૂત્રાર્થોને યાદ રાખવાનાં અનેક સાધનો જણાવતાં કહ્યું છે કે, પ્રાયે દિવસને ટાઈમ અભ્યાસાદિથી પૂરો થાય છે, ને દિવસે અનેક ધાર્મિક કાર્યોમાં મન ગુંથાયેલું રહે છે, તેથી રાતે જે શાંતિ - હોય, તેવી દિવસે ન હોય એ વાત સર્જાશે સાચી જ છે. માટે મુનિવર પામેલા ચારિત્રાદિ ગુણેને ટકાવવાના ને નિર્મલ બનાવવાના મુદ્દાથી રાત્રિના યંગ્ય અવસરે સૂત્રાર્થોની આવૃત્તિ કરીને તે બંનેને મનમાં સ્થિર કરે છે એટલે ન ભૂલાય તેવા કરે છે. આથી સમજાય છે કે, ૧. સૂત્રાર્થની આવૃત્તિ એટલે પૃછા, પરાવર્તન અને અનુપ્રેક્ષા આ ત્રણે વાનાં ભણેલા સૂત્રાર્થોને યાદ કરવામાં અપૂર્વ પ્રથમ સાધન છે. ૨. સૂત્રાર્થોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy