SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૩. શ્રીસ્થનાંગસૂત્રને પરિચય ) ૧૦૧ શકે છે. આવા આવા અનેક મુદ્દાઓથી જેમ પૂર્વે જણાવેલી અપેક્ષાએ “આત્મા એક છે એમ કહ્યું તેમ “દરેક આત્માઓ અલગ અલગ હોવાથી આત્મા વગેરે પદાર્થો અનેક છે, એમ પણ માનવું જોઈએ. આનું નામ જ સ્યાદ્વાદશૈલી કહેવાય. આ જ પદ્ધતિએ ટીકાકારે અવસરે પુણ્ય–પાપ દેવ-નરકાદિની સાબિતી કરી જણાવ્યું કે, -અનુકૂલતા એ પુણ્યનું ફલ છે, તેને ભેગવનારા સ્વર્ગવાસી દેવો અને મનુષ્યો છે. પ્રતિકૂલતા એ પાપનું ફલ છે. તેને ઓછા વધતા પ્રમાણમાં ભેગવનારા તિર્થ" તથા મનુષ્યો છે. આ તથા બીજા પણ પદાર્થો અહીં વિસ્તારથી સમજાવ્યા છે. ૨. બીજા દ્વિસ્થાનક અધ્યયનને સાર–અનેકાંતદષ્ટિએ આત્માનું અનેકપણું પણ ઘટી શકે જ છે. માટે અહીં કહેલી “જીવના “સિદ્ધ અને સંસારી” એમ બે ભેદ વગેરે હકીકત સર્જાશે ઘટી શકે છે. આ જ રેલીએ જણાવેલા લોક-અલેક, જીવ-અછવ વગેરે બે બે પદાર્થોની બીના અહીં વિસ્તારથી ટીકાકારે સમજાવી છે. ૩. ત્રીજા ત્રિસ્થાનક અધ્યયનને સાર–અહીં મોક્ષમાર્ગ વગેરેના સમ્યગ્દર્શનાદ ત્રણ ત્રણ ભેદો વિસ્તારથી સમજાવ્યા છે. ત્રણ પ્રકારના દંડ વગેરેની બીના જાણતાં ભવ્ય જીવો કર્મબંધના કારણથી બચી મેક્ષમાર્ગની સાત્ત્વિકી આરાધના કરી મુક્તિના સુખ પામે; એ સૂત્રકારાદિની ઉદાર ભાવનાને જરૂર પારખી શકે છે, ૪. ચોથા ચતુઃસ્થાનક અધ્યયનને સાર–અહીં ગુરૂ, સાધુ, પુરૂષ વગેરેના ચાર ચાર ભેદ, નરકગતિ વગેરેના ચાર ચાર હેતુઓ વગેરે, કષાય વગેરેના તથા બે રીતે શ્રાવકના ચાર ભેદ તથા ધ્યાનાદિના ૪ ભેદ-પ્રભેદો-લક્ષણ-આલંબન વગેરે ચાર ચાર પદાર્થોની બીના દાંતાદિ કહેવાપૂર્વક સ્પષ્ટ સમજાવી છે. - પ. પાંચમા પંચસ્થાનક અધ્યયનને સાર–અહીં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ વગેરેના પાંચ પાંચ ભેદનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૬. છઠ્ઠા સ્થાનક અધ્યયનને સાર–અહીં ૬ જવનિકાય, ૬ લેશ્યા વગેરે છે છ પદાર્થોની બીના સ્પષ્ટ જણાવી છે. ૭. સાતમા સપ્તસ્થાનક અધ્યયનને સાર–અહીં સાત સ્વર, તેના સ્થાન, ગ્રામ, મૂછના, સાત સમુદઘાત, સાત ભયસ્થાન, ગોચરીના તથા નિહાના ૭ ભેદ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું છે. નિહાને ઉત્પત્તિસમય વિસં. ૧૯૧૪માં કહ્યો છે. ૮. આઠમા અષ્ટસ્થાનક અધ્યયનને સાર–અહીં વાદીના, મહાનિમિત્તના, વિભક્તિના ૮-૮ ભેદ તથા પ્રભુ શ્રી મહાવીરદેવે જેમને સ્વહસ્તે દીક્ષા આપી છે તે આઠ રાજાઓનાં નામ, પ્રવચન માતાના તથા મદના ૮ ભેદ વગેરે આઠ આઠ પદાર્થોની બીના સ્પષ્ટ જણાવી છે. ૯. નવમાં નવસ્થાનક અધ્યયનનો સાર–અહીં બહાચર્યની ગુપ્તિના ૯ ભેદો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy