SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૪૧) તે ચૈત્યની બહાર નીકળી માર્ગના પરિશ્રમથી થાકેલી તેં સાધ્વીજીને જોયા. તેઓના ચરણે તેં વંદન કર્યા. સાધ્વીજીએ તને ધર્મમાં જોડી. તેં પણ તે સાધ્વીજીની સેવાસુશ્રુષા કરી. લાંબો સમય પસાર થયા પછી તું ઘરે આવી, અનુક્રમે મૃત્યુ પામીને આર્તધ્યાનમાં ત૫૨ તું આ કોરંટવનમાં શકુની (સમળી) થઈ. તે કર્યુટ શાપ મરીને શિકારી થયો. તેણે પૂર્વભવના વેરથી શકુનીના ભવમાં તને બાણ વડે વીંધી. પૂર્વ ભવમાં કરેલી જિન-ભંક્તિ અને ગ્લાનની સેવાથી તને અંત સમયે સમકિત પ્રાપ્ત થયું. અત્યારે પણ તું જિનેશ્વરે કહેલા દાનાદિ ધર્મને ક૨. એ પ્રમાણે ગુ૨ના વચન સાંભળીને તેણી શર્વ દ્રવ્યને સાત ક્ષેત્રમાં વાપરે છે. ચૈત્યના ઉદ્ધારને કરાવે છે. ચોવીશ દેવકુલિકાઓ- પૌષધશાળા, દાનશાળા, અધ્યયન શાળા = પાઠશાળા કરાવે છે. એથી તે તીર્થનું પૂર્વભવના નામથી 'શકુનિકા વિહા૨' એ પ્રમાણે નામ પ્રરિાદ્ધ છે. અંત સમયે દ્રવ્ય-ભાવ બન્ને ભેદથી સંલેખનાને કરીને અણશન કરી વૈશાખ સુદ પંચમીના દિવસે ઈશાન દેવલોક માં ગઈ. શ્રી મુનિસુવ્રતસ્વામી ના મોક્ષ ગમન પછી ૧૧-૮૪-૪૧૭ વર્ષ પસાર થયા. પછી વિક્રમાદિત્ય સંવ૨ા૨ પ્રગટ થયો. જીવંત મુનિસુવ્રત સ્વામીની અપેક્ષા એ ૧૧ લાખ, ૨૮ વર્ષ જૂન, ૮૫ હજાર વર્ષ પસા૨ થયા પછી વિક્રમ સંવ૨ા૨ થશે. એ પ્રમાણે 'શકુનિકા વિહા૨' ની ઉત્પત્તિ દર્શાવી. આ ભરૂચ તીર્થમાં અનેક લૌકિક તીર્થો વર્તે છે. ઉદયનના પુત્ર બાહડ દેવ વડે શત્રુંજય પ્રાસાદ નો ઉદ્ધા૨ ક૨ાવેલ. તેના નાના ભાઈ અંબડ વડે પિતાના પુણ્ય માટે શકુનિકા વિહા૨નો ઉદ્ધા૨ ક૨ાવેલ. મિથ્યાદષ્ટ સિંધવા દેવીએ પ્રાસાદના શિખર ઉપર નાચતા એવા અંબડ ને ઉપસર્ગ કરેલ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ એ તે ઉપસર્ગ ને વિદ્યાબલ થી નિવા૨ણ કરેલ. અQાવબોધ નામના આ તીર્થ ના કલ્પને શ્રી જિનપ્રભસૂરિ એ સંક્ષેપથી કહ્યો. ભવ્યજનોએ ત્રણે કાલ ભણવો જોઈએ. ૧. આ પૂર્વે જિનાલય લાકડાનું હતું.(પ્રભાવકર્ચારેત્ર) આ ઉદ્ધા૨ વિ.સં. ૧૨૧૬ માં થયો હતો. જૈન પરંપરાનો Íક્ષપ્ત ઈતિહાસ, મો.ક.દેસાઈ આ પછી તેજપાળે વિ.સં. ૧૨૭૮ થી ૧૨૮૬ વચ્ચે શનિકા વિહા૨ની ૨૫ દેશી ઉપ૨ સોનાના ધજા દંડ ચડાવ્યા હતા, (જૈન તીર્થંકા ઐતિહાસિક મહત્વ ડો. શિવપ્રસાદ પૃ.૨૧૫) વિદ્વાનોનું માનવું છે કે આજે ભરૂચમાં નર્મદા કાંઠે આવેલી જામા મં૨જદ તે 'શકુનિકા વિહા૨' નું જ રૂપાંત૨ છે. ગયાસુદ્દિન તગલખ ના રાજ્યકાળ (વિ.સં. ૧૩પપ થી ૧૩૬૦) માં ગુજરાતમાં એના સુબા મોહમ્મદ qતુગરીના શાસનકાળમાં આ મંદિરનું મંદમાં રૂપાંત૨ થયું છે. ડૉ. શિવપ્રસાદ જૈન તીર્થો કા ઐતિહાસિક અધ્યયન' પૃ.૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy