SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રૈવતગિરિ કલ્પ પશ્ચિમદિશાના સોરઠ દેશમાં રૈવત પર્વત રાજનાં શિખર ઉપરશ્રી નેમિનાથ ભગવાનનું ઉચા શિખરવાળું ભવન શોભે છે. ત્યાં પહેલાં ના કાળમાં મનાથ ભગવાનની લેપ્યમય પ્રતિમા હતી. એક વખત ઉત્તર દિશા ના આભૂષણ સમાન કાશમીર દેશથી અજીત અને રતન નામના બે ભાઈ સંઘર્પતિ બનીને ગિ૨ના૨ પર્વત ઉપ૨ આવ્યા. ત્યાં આગળ ઉતાવળમાં ઘટ્ટ કેન્સ૨ના ૨સથી ભરેલા કળશો દ્વારા પ્રતિમાનો અભિષેક કર્યો. ત્યારે શ્રી નેમિનાથ ભગવાનની લેણ્યમયી પ્રતિમા ઓગળી ગઈ. તેથી જ જાત પ્રત્યે ઘણો ખેદ શોક ક૨તાં તેઓએ આહા૨ના પચ્ચકખાણ કર્યા. એકવીસ ઉપવાસ પછી ભગવતી એવી અંબિકા દેવી સ્વયં આવી. સંઘપતિ ને ઉઠાડ્યા. સંઘપતિ એ દેવીને દેખી ને જય જયકાર શબ્દ કર્યો. તેથી દેવીએ કહ્યું આ બિંબ ને ગ્રહણ કરો પ૨નું પાછળ ના જશો. તેથી અજીત સંઘપતિએ એક તાંતણા વડે ખેંચીને ૨નમય થી મનાથ ની પ્રતિમાને કંચન બલાનક (અગચોકી)માં લાવી. પ્રથમ ભવન ની દેરી ઉપ૨ આરોપણ કરી ઘણાં જ હર્ષથી ભરેલાં સંઘર્પત વડે પાછળ જેવાઈ ગયું. તેથી પ્રતિમા ત્યાં જ નિશ્ચલપણે સ્થિર થઈ ગઈ. દેવી વડે ફૂલ ની વૃષ્ટિ કરાઈ. જય જય શબ્દ કરાયો. આ બિંબ ને વૈશાખ સુદ પૂનમ ના દિવસે પશ્ચિમ દિશા તરફ મુખવાળા નવા કરાવેલા ભવનમાં સંઘર્પતિ વડે સ્થાપન કરાયું. ૨નાત્ર મહોત્રાવ કરીને અજીત પોતાના ભાઈ સાથે પોતાના દેશ તરફ ગયો. કલિકાલ માં દુષ્ટ ચિત્તવાળા માણસોને મળીને મલકલતા એવા મણિમય બિંબની કાંતિ ને અંબાદેવી ઢાંકી દીધી. પહેલાં ગુજરાતના જયંસંહરાજા વડે ખંગાર રાજાને હણીને સજજન ને દંડાધિપતિ તરીકે સ્થાપન કર્યો. તેણે નવા નેમિનાથ જિનેશ્વ૨નું નવું ભવન વિ.સં. ૧૧૮૫ માં કરાવ્યું. માલવદેશના મુખ ના મંડલ સમાન સજ્જન ભાવડ શેઠે સુવર્ણનું આમલસા૨ ૧. પ્રબંધકોશમાં (પૃ.૯૩) મદન અને પૂર્ણસિંહ નામ છે. પુરાતનપ્રબંધમાં (પૃ.૯૭) આ ઘટના વિ.સં. ૮૦ માં બન્યાનું જણાવ્યું છે. રેવતગિરિ જાશું (૨ચના ઈ.સ. ૧૨૨૩) માં પણ આ પ્રસંગનું વર્ણન છે. ૨. રેવંતગિરિરા' (૧/૯)માં પણ આ જ શાંવત આપી છે. પ્રભાવક ચરિત્ર (પૃ.૧૫) પ્રમાણે વિ.સં. ૧૧૭૬ માં ૨સજનની દંડનાયક તરીકે નિમણુંક થઈ અને નવમા વર્ષે જિર્ણોદ્ધાર કર્યો. પ્રબંધચિંતામણ (પૃ.૬૪) પ્રમાણે ત્રણ વર્ષના ક૨ની આવક દ્વારા કાષ્ઠમય મંદિરના સ્થાને પાષાણનું બનાવ્યું. શ્રી ધર્મઘોષસૂરિ એ વિ.સં. ૧૩૨૦ માં ૨ચેલ ગિ૨ના૨ કલ્પમાં જણાવ્યું છે કે પહેલા માળવાના યાકુટી મંત્રીએ જિર્ણોદ્ધા૨નો પ્રારંભ કરેલ. રાજને તે કાર્ય પૂર્ણ કર્યું. પ્રબંધ ચિંતામણ પ્રમાણે યાકુટીએ ૧૩૫ વર્ષ પૂર્વે પ્રારંભ કર્યો હતો. અને સજ્જને વિ.સં. ૧૧૮૩ માં પૂર્ણ કર્યો. આજે આ જિનાલયમાં એક લેખ વિ.સં. ૧૧૭૬ નો મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy