SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૨૦૭) કરી દીધી. અને જે એંઠવાડના દાણા ભૂમિ પર પડ્યા હતા, તે સર્વે મોતીરૂપે કરી દીધા. ભાજનમાં અંગ્રશિખા તે જ રીતે દેખાવા લાગી. આવાં પ્રકા૨નાં આશ્ચર્ય જોઈ સાસુએ સોમબ્રાહ્મણને નિવેદન કર્યું. અને કહ્યું હે વશ ! આ વહુ સુલક્ષણવાળી અને પતિવ્રતા છે. આ કુલવધૂને પાછી બોલાવો' એ પ્રમાણે માતાથી પ્રેરાયેલો પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતો વહુને બોલાવા માટે સોમભટ્ટ ગયો. તે અંબાએ પાછળ આવતાં શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પતિને જોયો. દિશા અવલોકન કર્યું. આગળ માર્ગમાં કૂવો દેખાયો. તેથી જિનેશ્વરનું મનમાં ૨સ્મરણ કરીને સુપાત્ર દાનની અનુમોદના કરી. જાતે કુવામાં પડી શુભ અધ્યવસાય વડે પ્રાણ નો ત્યાગ કરીને ચા૨ યોજનાવાળા કોહંડ વિમાનમાં સૌધર્મ કલ્પની નીચે અંબિકા નામની મહર્ષિક દેવી થઈ. વિમાનમાં નામથી તેને કોહંડ દેવી પણ કહેવાય છે. સોમભટ્ટ પણ તે મહાસતીને કુવામાં પડતી દેખીને તે જ કુવામાં પોતે. ઝંપલાવ્યું. તે મરીને ત્યાં જ દેવ થયો. અભયોગ કર્મથી સિંહરૂપવિતુર્વીને તે અંબિકાદેવીનો વાહન થયો. બીજે કહે છે કે – અંબિકાએ રૈવતગિરિથી ઝંપલાવેલ, તેની પાછળ સોમભટ્ટ પણ તે જ રીતે ઝંપલાવેલ બાકીનું તે જ પ્રમાણે જાણવું. તે ભગવતી ! ચાર ભુજાવાળી ! જમણા હાથમાં આંબાની લુંબ અને પાશને ધારણ કરે છે. ડાબા હાથમાં પુત્ર અને અંકુશ ને ધારણ કરે છે. તપેલાં સોના સ૨ખો તેનાં શરીરનો વર્ણ છે. શ્રી ર્નોમનાથ ભગવાનની તે શાશનદેવી રૈવતંગર નાં શિખ૨ ઉપ૨ નિવાસ કરે છે. મુગુટ-કુંડલ-મુકતાફૂલ-હા૨-૨ન-કંકણ-ઝાંઝર આદિ સર્વ અંગો પર ઘરેણાંઓથી. મનોહર તે દેવી સમ્યગ્દષ્ટિનાં મનોરથોને પૂરે છે. વિદoનસંઘાતને દૂર કરે છે. તે અંબા દેવીનાં મંત્ર-મંડલાદની આરાધના કરતાં ભવ્યજનો અનેક ૨૦૫થી ઋઇસમૃદ્ધિ ને દેખે છે. ભૂત-પિશાચ-શકિની આદિ દુષ્ટગ્રહો પરાભવ કરતાં નથી. પુત્રકલત્ર-મિત્ર-ધન-ધાન્ય-રાજ્ય લક્ષ્મી આદિ સંપન્ન થાય છે. अंबिआमंता इमे - वयवीयमकुलकुल जलहरिहयअकंततत्तपेआई । पणइणिवायावसिओ अंबिअ देवीइ अह मंतो ॥१॥ धुवभुवण देवि संबुद्धि पास अंकुस तिलोअ पंचसरा । णहसिहिकुलकलअब्भासिअमायापरपणामपयं ॥२॥ वागुब्भवं तिलोअं पाससिणीहाओ तइअवनस्स । कूडं च अंबिआए नमुत्ति आराहणामंतो ॥३॥ બીજા પણ કેટલાક અંબિકાદેવીનાં મંત્રો ૨સ્વ-પ૨ની રક્ષા માટે ૨મ૨ણ ક૨વા યોગ્ય માર્ગ ક્ષેમદને ક૨નાશ છે. (ગોચર ઘણાં રહેલાં છે.) તે મંત્રો તથા મંડલને અહીં આગળ ગ્રંથ વિસ્તા૨નાં ભયથી કહ્યા નથી. ગુરમુખથી જાણી લેવાં. આ અંબિકાદેવીનો કલ્પ વિકલ્પચત્તવૃત્તિ વાળાને વાંચતા અને સાંભળથી ઈચ્છિત અર્થો પૂર્ણ થાય છે. ઈતિશ્રી અંબિકાદેવી કલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy