SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૯૯) આગળ ૨ાજા પાછું વાળીને જોશે ત્યાં જ પ્રતિમા સ્થાપન થશે.' પછી ૨ાજાએ ખાબોચીયાનાં પાણીને દૂર કરીને તે પ્રતમા પ્રાપ્ત કરી. રાજાએ તે પ્રમાણે કરીને પ્રતિમા ચલાવી. કેટલીક ભૂમિ ગયાં પછી ૨ાજાએ ‘શું પ્રતિમા આવે છે કે નહિં ?' એ પ્રમાણે શંકાથી સિંહાવલોકન (પાછળ જોયું) કર્યુ. પ્રતિમા ત્યાં જ આકાશમાં રહી. ગાડું આગળથી નીકળી ગયું. રાજા પ્રતિમા હિં દેખાવાથી અતિ પામ્યું ત્યાં જ પોતાનાં નામથી ઓળખાતું શ્રીપુ૨ નામનું નગ૨ વસાવ્યું. અને ત્યાં મોટું ચૈત્ય કાવ્યું. અનેક મહોત્સવ પૂર્વક પ્રતિમા સ્થાપન કરી. ૨ાજા ત્રણે ડાળ તે પ્રતિમાને પૂજે છે. આજે તે પ્રતિમા તે જ રીતે આકાશમાં રહેલી છે. પહેલાં ખરેખર બેડાયુક્ત ઘડાને મસ્તકમાં વહન ક૨તી નારી પ્રતિમાની નીચે સિંહાસન તલમાં ચાલી શકતી હતી. કાળ-ક્રમે ભૂમિનો વેગ ચડવા વડે અથવા મિથ્યાત્વથી દૂષિત કાળ નાં અનુભાવથી નીચે નીચે દેખાય છે. જ્યારે અત્યારે ખેસનો ટુકડો પ્રતિમા નીચેથી નીકળે છે. દીવા દ્વા૨ા સિંહાસન અને ભૂમિનાં વચ્ચેનો ભાગ દેખાય છે. જ્યારે તે પ્રતિમાને ગાડામાં આરોપણકરી ત્યારે અંબાદેવી અને ક્ષેત્રપાલની પ્રતિમા તેમની સાથે હતી. ઉત્સકપણાથી સિદ્ધ-બુમાંથી એક પુત્ર અંબાદેવીએ ગ્રહણ કર્યાં. બીજો પાછળ સ્થિત રહ્યો. ત્યા૨ પછી દેવીએ ક્ષેત્રપાલને આજ્ઞા આપી કે બીજો પુત્ર. તારે લાવવો. તેનાં વડે ત ઉતાવળથી ચાલતાં તે આવ્યો નહ. તેથી દેવીએ ટુંબાથી તેનાં મસ્તક ઉ૫૨ પ્રહાર કર્યો. આજે પણ તે જ પ્રહા૨ ક્ષેત્રપાલનાં મસ્તક ઉપર દેખાય છે. એ પ્રમાણે અંબાદેવી અને ક્ષેત્રપાલવડે સેવાતી ધરણેન્દ્ર અને પદ્માવતી વડે સાન્નિધ્ય કરાતી તે પ્રતિમા ભવ્ય લોકો વડે પૂજાય છે. યાત્રાળુઓ જાત્રા મહોત્સવને કરે છે. તે પ્રતિમાનું ન્હવણ જલ આ૨તીને છાંટવા છતાં પણ તે બુઝાતી નથી. હવણ જલથી અભિષેક કરાયેલ ગાત્ર વાળાનાં દર્દ, ખાંસી, કુષ્ઠાદિ રોગો ઉપશમ થાય છે. શ્રી અંતરિક્ષમાં રહેલાં પાર્શ્વનાથનો આ કલ્પ જેવી રીતે સાંભળ્યો તેવી રીતે પોતાનાં તથા બીજાનાં ઉપકા૨ માટે શ્રી જિનપ્રભસૂરિ વડે લખાયો. ઈતિ શ્રી અંર્તાક્ષ પાર્શ્વનાથ કલ્પ: ૧. મહારાષ્ટ્રના આકોલા જિલ્લામાં આવેલું સિ૨પુ૨ તે જ પ્રાચીન શ્રીપુ૨ છે. ઉપદેશસર્પાત ૨૨૧૦/૨૧૨૪, માં પણ આ પ્રમાણે વર્ણન છે. અંતરીક્ષપાર્શ્વનાથ છંદ (કર્તા શ્રી લાવણ્યસમય)માં રાવણની જગ્યાએ કુંભકર્ણનું નામ છે. અંતરીક્ષમાહાત્મ્ય (ભાવ્વવજયર્માણ કૃત) માં વિ.સં. ૧૧૪૨ માં મલધારી અભયદેવસૂરિ હસ્તે પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy