SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કન્યાનયન મહાવીર કપ પરિશેપ: સંઘતિલક સૂરિનાં આદેશ વડે વિધાતિલક મુન કન્યાનયન મહાવીરનાં કલ્પના પરેશેષ નો લેશમાત્રથી કહે છે. ભટ્ટા૨ક શ્રી જિનપ્રભસૂરિશ્રી દૌલતાબાદ નગરમાં રાજન પેથડળ, સજજના સહજા, અચલ વડે કરાવેલાં ચૈત્યોને તુક ભાંગતા હતા ત્યારે ફરમાનને દેખાડવા પૂર્વક ચૈત્યભંગનું નિવારણ કરીને શ્રી જૈન શાસનની અતિશય પ્રભાવનાને કરી અને અધ્યયનને ઈચ્છક શિષ્યોને રિદ્ધાંતની વાચના દેતા. તપસ્વીઓને અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ આંદ આગમતપને (યોગોધ્વહન) ક૨ાવતાં પોતાનાં અને બીજાનાં ગચ્છનાં મુનિઓને પ્રમાણવ્યાકરણ-કાવ્ય-નાટક-અલંકા૨ આદશાસ્ત્રોને ભણાવતાં, પ્રચંડ, પ્રખ૨ વાણીવાળા અને હલકા અનાર્ય માણસની જેમ વાદ કરનારા વાટવૃદોનાં અગણ્ય અભિમાનને દૂર કરતાં કાંઈક ન્યૂન ત્રણ વર્ષ પસાર કરે છે. આ બાજુ શ્રી યોગિનીપુ૨ (દિલ્લી) માં શંકાધિરાજ શ્રી મહમ્મદ શાહ કોઈક અવસરે પંડિતોની સભામાં આવ્યો, ત્યારે શાસ્ત્રની વિચારણામાં સંશય ઉત્પન્ન થવાથી ગુરૂનાં ગુણોને યાદ કર્યા અને સુલતાન કહેવા લાગ્યો. તે ભા૨કે અત્યારે મારી સભાને અલંકૃત કરી હોત તો મારા મનમાં આવેલાં સમસ્ત સંશયના શલ્યને ક્ષણમાત્રમાં દૂર કર્યા હોત. ખરેખ૨ પણ તેમની બુદ્ધિથી પરાજિત થયેલાં બૃહસ્પતિ ભૂમિને છોડીને આકાશ માર્ગે ચાલ્યા ગયા. એ પ્રમાણે ગુરૂનાં ગુણ વર્ણના-પ્રસંગે તે જ સમયે અવસરને જાણીને દૌલતાબાદથી આવેલાં તાજકમલ્લિ પૃથ્વી પર મસ્તક રાખી વિનંતિ કરી હે મહારાજ ! તે મહાત્મા દોલતાબાદમાં ૨હેલાં છે. પરંતુ તે નગરનાં પાણીને સહન નહિ કરી શકવાથી કશ અંગવાળા થાકી ગયેલા છે. તેથી ગુરૂગુણનાં શમૂહને યાદ કરતાં રાજાએ તે જ હમીરને આદેશ કર્યો કે 'હે મલ્લિકા ! જલ્દીથી જઈને દ્વા૨ખાનામાંથી ફ૨માનપત્ર લખાવી ત્યાં મોકલ. અને તેવાં પ્રકારની સામગ્રી મોકલો જેથી ભટ્ટા૨ક અહીં આવે. તેના વડે તે જ પ્રમાણે કરાયું અને ફરમાન મોકલાયું. અનુક્રમે તે ફરમાન અનુક્રમે દૌલતાબાદનાં દીવાન પાસે પહોંચ્યું. વિનયપૂર્વક નગ૨નાયક શ્રી કુતુલખાન વડે ભટ્ટા૨કોને પ્રયાણ ક૨વા માટે બાદશાહના શાહી ફરમાનથી ઢિલ્લીપુ૨ ત૨ફ પ્રસ્થાન માટે આદેશ આપ્યો ત્યારે દસ દિવસ પછી તૈયાર થઈને જેઠ સુદ-૧૨ ના દિવસે રાજયોગમાં સંઘ સાથે સભાથી અનુરા૨ણ ક૨તાં મોટા ઠાઠ માઠથી ગુરૂએ પ્રયાણ કર્યું. અનુક્રમે સ્થાને ૧. પેથડશાના જિનાલયમાં વિ.સં.૧૩૩પમાં આ, ધર્મઘોષસૂરિએ ભ. મહાવી૨ની પ્રતિષ્ઠા કરેલી. શહજાશાહ શત્રુંજય તીર્થોદ્ધા૨ક સમરાશાના ભાઈ થાય. (સુકૃતસાગ૨ પ્રસ્તાવના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy