SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) ( શ્રી અષ્ટાપદગિરિ કલ્પઃ ) દંડ૨નથી ગંગા તટને વિદારીને પાણી વડે પૂરી. તેથી ગંગા નદી ખાઈને પૂરીને અષ્ટાપદ પર્વતની નજીક રહેલાં ગામ, નગ૨ પુદને પાણીમય ક૨વા લાગી, વળી દંડ૨નથી કાઢીને કુરૂદેશની મધ્યે. હસ્તનાપુરનાં દક્ષિણ દિશાથી, કોશલદેશનાં પશ્ચિમ દિશાથી, પ્રયાગતીર્થનાં ઉત્ત૨ દિશાથી, કાશીદેશનાં ર્રાક્ષસ્કૃદિશાથી, વ દેશનાં દક્ષિણબાજુથી મગધદેશનાં ઉત્ત૨બાજુથી માર્ગમાં આવતી નદીઓને કાપતી (ગંગાનદીને) સાગ૨નાં આદેશ વડે જહુનાં પુત્ર ભગીરથકુમારે પૂર્વસમુહમાં ઉતારી. તે દિવસથી ગંગાસાગ૨ તીર્થ પ્રસિદ્ધ થયું. - આ જ પર્વત ઉપ૨ ઋષભસ્વામીનાં આઠ પૌત્રો અને વાલુ, વલિ વિગેરે ૯ પુત્રો સ્વામિની સાથે ૧૦૮ એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાથી રિદ્ધિ થયા. તે આશ્ચર્ય થયું. આ પર્વત ઉપર પોતાની શક્તિથી ચઢીને જે મનુષ્યો ચૈત્યને વાંદે તે આ જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે. એ પ્રમાણેશ્રી મહાવીરસ્વામીએ વર્ણવ્યું હતું. તે સાંભળીને ભગવાન ગૌતમસ્વામી લંબ્ધનાં ભંડા૨ આ શ્રેષ્ઠ પર્વત ઉપર ચઢ્યા. ચૈત્યોને વાંદીને અશોક વૃક્ષ નીચે વૈશ્રમણની આગળ સાધુઓના તપથી પાતળાં બનેલાં અંગનું વખાણ કરી ૨હ્યાં હતાં. ત્યારે તેઓ પોતે પુષ્ટ શરીરવાળા છે. એથી વૈશ્રમણ ને "અરે આ તો અન્યથાવાદી (અન્યથાકારી) છે એ પ્રમાણે ઉભા થયેલ વિકલ્પને નિવા૨ણ ક૨વા માટે પંડરીક અધ્યયનની પ્રરૂપણા કરી. પંડરીક ખરેખર પુષ્ટ શરીરવાળા હોવા છતાં ભાવથી સર્વાર્થસિદ્ધવિમાનમાં ગયા. કુંડરીક દુર્બલ દેહવાળા હોવા છતાં શાતમી નરકમાં ગયા. તે પુંડરીક અધ્યયન વૈશ્રમણ દેવે ગૌતમસ્વામીના મુખથી સાંભળીને અવધાર્યું. તે વૈશ્રમણ તુંબવન નગ૨માં ધનગિરિની પત્ની સુનંદાના ગર્ભમાં ઉત્પન્ન થઈને દશપૂર્વધ૨ વજસ્વામી થયા. અષ્ટાપદ પર્વત ઉપર ચઢતાં ગૌતમસ્વામીએ કૌડિન્ય, દિ, સેવાલિ પ્રમુખ ૧૫03 તાપસોને દીક્ષા આપી. તાપસોએ લોકવાયકા અને જનપરંપરાથી આ તીર્થમાં ચૈત્યોને વાંદે તે તે જ ભવમાં મોક્ષ પામે એ પ્રમાણે વીરવચન ને સાંભળી પહલી, બીજી અને ત્રીજી મેખલામાં અનુક્રમે આરૂઢ થયા, પરંતુ ગૌતમસ્વામીને અટક્યા વિના ઉત૨તા દેખીને વિંસ્મત થઈ પ્રતિબોધ પામ્યા અને દીક્ષા લીધી. તે જ પર્વત ઉપ૨ ભરત ચક્રવર્તી પ્રમુખ કરોડો મર્યાર્ષિ સિદ્ધ થયા. ત્યાં જ સુબુદ્ધિ નામના સગર ચક્રીનો મહામંત્રી એ જહુઆદિ શગ૨પુત્રોની આગળ, આદિત્ય ચશથી આરંભી પચાસ લાખ કરોડ સાગરોપમની મધ્યે ભરત મહારાજાના વંશમાં ઉત્પન્ન થયેલાં શાર્ષિઓ ચિત્રાત૨ ગંડકામાં સર્વાર્થ સ્સિધ ગંત અને મોક્ષદ્ગતિમાં ગયેલા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy