SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદગિરિ કલ્પઃ સુવર્ણ જેવી દેહની કાંતિવાળા, ભવરૂપી હાથીને નાશ ક૨વામાં અષ્ટાપદસમાન શ્રી ઋષભદેવને નમ૨કા૨ કરીને અષ્ટાપદગિરિનાં કલ્પને સંક્ષેપથી હું કહું છું. મા. આ જ જંબુદ્વીપમાં ભ૨તક્ષેત્રનાં દક્ષિણ ભ૨તની મધ્યે નવ જજનવિ૨તા૨વાળી, બાર યોજન લાંબી અયોધ્યાનગરી હતી. તે નગરી શ્રી ઋષભદેવ, અજીતનાથ, અભoiદન૨સ્વામી, સુર્માતિનાથ, અનંતનાથાદ જિનેશ્વશેની જન્મભૂમિ હતી. તે અયોધ્યાનગરીની ઉત્તરદિશામાં બાર યોજન ગયે છતે અષ્ટાપદ નામનો (બીજું નામ કૈલાસ) મનોહર પર્વત છે, તે આઠ યોજન ઉચો, ૨સ્વચ્છ ૨સ્ફટિક શિલામય, હોવાથી લોકમાં ધવલગિરિ એ પ્રમાણે તેનું નામ પ્રસિદ્ધ થયું. આજે પણ અયોધ્યાનાં પાદ૨માં વર્તતા ઉડ્ડયન નામના કૂટની ઉપ૨ ૨હેલાં માણસોને નિર્મલ આકાશમાં તે પર્વતની સફેદ શિખ૨ની પરંપરા દેખાય છે. તે પર્વત મોટા સરોવ૨, ધન૨સ યુકતવૃક્ષ, ઝરણાં, પાણીનાં પૂરથી યુક્ત છે. વળી જેની આશપાશ વાદળ ફરે છે. મદોન્મત્ત મોશંદે પક્ષીનાં સમૂહનાં કલકલ અવાજથી મધુ૨, કિંt૨, ખેચ૨, સ્ત્રીઓથી મનોહર ચૈત્યવંદન માટે ચા૨ણ શ્રમણાદિ લોકો જ્યાં આવે છે. દેખવામાત્રથી જે ભૂખ, ત૨સને દૂર કરે છે અને નજીકમાં વર્તતા માનસરોવરથી શોભિત છે. આજ પર્વતની તળેટીમાં અયોધ્યાવાસીઓ વિવિધ પ્રકા૨ની ક્રીડા કરે છે. તે જ પર્વતના શિખર ઉપર છ ઉપવાસના તપવાળા પર્યકાસને ૨હેલાં શ્રી ઋષભદેવસ્વામી દસ હજાર સાધુઓની સાથે મહાવદી તેરસના દિવસે અંભિજીત નક્ષત્રનાં પૂર્વાહનમાં નિર્વાણ પામ્યા. ત્યાં સ્વામીની ચિતા ૨ચાઈ. દક્ષિણ દિશામાં ઈવાકુવંશના મહાપ્રભુની ચિતા કરાઈ. પશ્ચિમ દિશામાં બાકીનાં સાધુઓની ચિતા કરાઈ. ત્રણે ચિતાનાં સ્થાનમાં દેવો વડે ત્રણ સ્તૂપ કરાયા. ભરત ચક્રવર્તી વડે સ્વામીનાં સંસ્કારભૂમિની નજીક એક યોજન લાંબો, અડધો યોજન પહોળો, ત્રણ ગાઉ ઉચો, સિંહ નિષઘા નામનો પ્રાસાદ કરાવ્યો. તે ૨નનાં પ૨થી યુક્ત વેડૂર્ય૨તનમય હતો. તેનાં ચા૨ દ્વા૨ો ૨સ્ફટિક૨નમય કરાવ્યા. દરેક દ્વા૨ની પાસે સોળ ૨ચંદનનાં કળશો કરાવ્યા. દરેક દ્વા૨ ઉપ૨ સોળ અષ્ટમંગલ કરાવ્યા. દરેક દ્વા૨ પ૨ સોળ ૨ક્તમય તોરણો બનાવ્યા. તે દ્વાર પર વિશાળ મુખમંડપો, તે મુખમંડપોની આગળ ચા૨ પ્રેક્ષામંડ૫, તે પ્રેક્ષામંડપની આગળ મધ્યમાં વજમય અખાડા, દરેક અખાડાની મધ્યભાગમાં રત્નસિંહાસન છે. પ્રત્યેક પ્રેક્ષામંડપની આગળ મણિપીઠીકા છે. તે મણિપીઠીકાની ઉપ૨ ૨નમય ચૈત્ય૨તૂપ છે. તે ચૈત્યસ્તૂપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy