SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૬ વર્ષ ગૃહસ્થપર્યાય હતો. (૮) સંશય - ઇન્દ્રભૂતિનો જીવમાં જે ભગવાન મહાવી૨ વડે છેદાયો. ગ્રભૂતિનો કર્મમાં, વાયુભૂતિનો તે જ જીવન તે જ શ૨ી૨ છે એમાં, વ્યક્તનો પંચમહાભૂતમાં, સુધર્મા૨સ્વામીનો જેવા પ્રકા૨નો આ ભવમાં તેવાં પ્રકારનો બીજા ભવમાં હોય ? મંડિતનો બંધ અને મોક્ષમાં, મૌર્ય પુત્રનો દેવમાં, અપિતનો નરકમાં, અચલભ્રતાનો પુણ્ય અને પાપમાં, મેતાર્યનો પરલોકમાં, પ્રભાસનો નિર્વાણમાં સંશય હતો. (૯-૧૦-૧૧-૧૨) દ્વા૨ - દીક્ષા ગ્રહણ દેવાતાઓનાં આગમનને દેખી યજ્ઞવાટિકામાંથી ઉર્પસ્થત થયેલાં અગ્યાર ગણધરોની વૈશાખ સુદ-૧૧નાં દિવસે મધ્યમ પાવાપુરીમાં મહસેન વન નામના ઉદ્યાનમાં પૂર્વાષ્ઠ દેશ કાલમાં થયેલ. ૧૪૧ (૧૩) ઇન્દ્રભૂતિ આદિ પાંચ ગણધરોએ ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધેલ મંડિત અને મૌર્યપુત્રે ૩૫૦ની સાથે અપિત આદિ ચારે 300ની સાથે દીક્ષા લીધેલ. (૧૪) છદ્મસ્થપર્યાય - ઈન્દ્રિભૂતિનો ૩૦ વર્ષ, અગ્નિભૂતિનો ૧૨ વર્ષ, વાયુભૂતિનો ૧૦ વર્ષ, વ્યક્તનો ૧૨ વર્ષ, સુધર્માવામીનો ૪૨ વર્ષ, મંડિત અને મૌર્યપુત્ર દરેકનો ૧૪ વર્ષ, અતિપતનો ૯ વર્ષ, અચલભ્રાતાનો ૧૨ વર્ષ મેતાર્યનો ૧૬ વર્ષ, પ્રભાસનો ૮ વર્ષ. (૧૫) કેલિપર્યાય - ઈન્દ્રિભૂતિનો ૧૨ વર્ષ, અગ્રભૂતિનો ૧૬ વર્ષ, વાયુભૂતિ અને વ્યક્તનો ૧૮ વર્ષ, આર્યસુધર્માનો ૮ વર્ષ, મંડિત અને મૌર્યપુત્રનો ૧૬ વર્ષ, અતિપતનો ૨૧ વર્ષ, અચલભ્રાતાનો ૧૪ વર્ષ, મેતાર્ય અને પ્રભાસનો ૧૬ વર્ષ. (૧૬) અગ્યારેય ગણધરો વજ્ર ઋષભના૨ાચ સંઘયણવાળા, સમચતુસ્ત્ર સંસ્થાનવાળા અને સુવર્ણ કાંતિ જેવા દેહવર્ણવાળા હતા. વળી તેઓની રૂપસંપદા પણ તીર્થંકરો જેવી હતી. સર્વ દેવો ભેગાં મળી રૂપ ને જો અંગુષ્ઠ પ્રમાણમાં વિકુર્વે તો પણ જિનેશ્વરનાં પગનાં અંગુઠાની આગળ તે શોભતું નથી. જાણે કે બળેલો કોલસો ! એ વચનથી તીર્થંકરો અદ્વિતીય અનુપમ રૂપવાળા હોય છે. તેઓથી કાંઈક ન્યૂન રૂપવાળા ગણધરો હોય છે, તેઓથી હીનરૂપવાળા આહા૨ક શ૨ી૨ીઓ, તેઓથી હીન રૂપવાળા અનુત્તર દેવો, તેઓથી હીનરૂપવાળા અનુક્રમે નવગૈવેયકનાં દેવો, તેઓથી હીનરૂપવાળા અચ્યુતથી સૌધર્મ સુધીના દેવો, તેઓથી હીનરૂપવાળા ભવનર્પત દેવો, તેઓથી હીનરૂપવાળા જ્યોતિષી દેવો, તેઓથી હીનરૂપવાળા વ્યંતર દેવો, તેઓથી હીનરૂપવાળા ચક્રવર્તીઓ, તેઓથી હીનરૂપવાળા અર્ધચક્રવર્તી, તેઓથી હીનરૂપવાળા બળદેવો, તેઓથીપણ બાકીનાં માણસો છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ગણધરોનું ર્વાશષ્ટરૂપ વર્ણવ્યું. (૧૭) શ્રુતજ્ઞાન-ગૃહસ્થાવસ્થામાં ચૌદ વિધાના પારગામી અને શ્રમણપણામાં સર્વે ગણધરો દ્વાદશાંગી ર્ગાજ઼પટકવાળા હોય છે. કા૨ણ કે સર્વે ગણધરો દ્વાદશાંગીનાં પ્રણેતા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy