SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૧૦૧) પ્રાસાદમાં ચન્દ્રકાન્ત મણિમય બિમ્બ છે તેમ સાંભળી તેણે વિચાર્યું કે હું આ બિંબને પોતાના ઘરે લાવીને દેવપૂજાનાં અવસરે પૂછશ. ત્યાર પછી કોઈ પણ રીતે તે વાતને જાણીને નાયકનગ૨ના લોકોએ તાંબાના સંપુટમાં તે બિંબને મુકીને તેનાં ઉપ૨ લેપ કરી દીધો. તે પ્રતિમા લેપમયી થઈ ગઈ. ત્યા૨પછી જિનમંદિરમાં આવેલાં તે રાજાને તે જિર્નાબિંબ ન દેખાણું. લોકોને પૂછ્યું. તે લોકોએ અત્ય હકીકત નિવેદન કરી. રાજાએ | વિચાર્યું અરે ! હું કેવી રીતે આ લેપમય પ્રતિમાને ભેદીને મૂળ બિંબને કાઠું ? (લેપમય પ્રતિમા ભેદવી તે યોગ્ય ન કહેવાય એવું વિચારીને) રાજાએ તે ચૈત્યનો ઉદ્ધાર કરી ચોવીસ ગામો દેવને આપ્યા. તે ગામોમાં જે દ્રવ્ય ઉપજે તેનાંથી દેવાધિદેવની પૂજા કરાય છે. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા પછી નજીકમાં વર્તતાં ઉગ્યમ્બકમાં દેવાધિષ્ઠિત મહાદુર્ગ બ્રભંગ૨માં મહ@ય ક્ષત્રિય જાતિનો વાઈઓ નામનો ડાકૂ ૨હેતો હતો. તેણે તે જિનાલય પાડી નાંખ્યું. તે સાંભળી પલ્લીવાલ કુલભૂષણ સજ્જન ઈશ્વરનાં પુત્ર માણિક્યનો પુત્ર અને માતૃદેવીની કુક્ષીરૂપી સરોવ૨માં રાજહંસ સમાન પ૨મશ્રાવક સજ્જનકુમારસીંહએ ફરી નવો પ્રાસાદ કરાવ્યો અને ન્યાયથી ઉત્પન્ન થયેલું પોતાનું ધન સફળ કર્યુ. આત્માને ભવસમુદ્રથી પાર ઉતાર્યો. એ પ્રમાણે અનેક ઉદ્ધા૨નાં સા૨ભૂત નશક મહાતીર્થ આજે પણ જાત્રા મહોત્સવ ક૨વા દ્વારા ચારેય દિશામાંથી સંઘો આવીને આરાધના કરે છે. અને કલિકાલનાં અભિમાનનો નાશ કરવાવાળાં એવાં ભગવાનનાં શાસનની પ્રભાવનાં કરે છે. પુરાણોનું પ૨મતીર્થ એવાં નાકપુ૨નાં આ કલ્પને વાંચના૨, ભણનારો વાંછિતા રિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાંઈક પ૨તીર્થિકોના મુખથી કાંઈક પોતાનાં સિદ્ધાન્તોનાં ઈતિહાસવેત્તા નાં મુખથી સાંભળીને શ્રી જિનપ્રભસૂ2િ વડે આ નારાક્યપુ૨ કલ્પ લખાયો. ઠા થઇ 4 A & * if NA ૧. બ્રહ્મગિ૨ પર્વતથી ગોદાવરીનિકળે છે. ત્યાં ચંબકેશ્વ૨ તીર્થ છે. બ્રહ્મપુરાણ૭૪/૨૫-૨૬. ૨. વસ્તુપાળ તેજપાળે ૧૩મી સદીમાં પેથડશાના પુત્ર ઝાંઝણે નારાકમાજિનાલયો બનાવ્યા છે. (વસ્તુપાલ તેજપાલની પ્રવૃત્તિઓ ૨સ્વાધ્યાયારૂપૃ.30પ-૨૦ જૈન સાહિત્યનો ઔંક્ષિપ્ત ઈતિહાસ પૃ.૪૦૫) 3. નારદીયપુરાણ ૨૩/૧-૧પ૨, સ્કંદપુરાણ ૪||૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy