SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રી કામ્પિલ્યપુર તીર્થ કલ્પ આજ નગ૨માં દુર્મુખ નામનો રાજા છે. દિવ્ય મુગુટના રત્નમાં પ્રતિબિંબત થયેલાં મુખના કા૨ણે પ્રસિદ્ધ દુમુખ નામથી પ્રસિદ્ધ થયો છે. કૌમુદી નાં વસંત મહોત્સવમાં અલંકા૨ દ્વા૨ા વિભૂષિત કરાયેલી ઈન્દ્રધ્વજા નો મહાજન દ્વારા કરાયેલ ઋ સત્કા૨ને જોયો અને દિવસનાં અંતે તે જ ધ્વજા ભૂમિ ૫૨ પડેલાં પગ દ્વા૨ા ચગદાતી જોઈને ઋદ્ધિ અને અર્કાનાં સ્વરૂપને વિચારીને દુમુખ રાજા પ્રત્યેક બુ થયો. આજ નગ૨માં દ્રુપદ૨ાજાની પુત્રી દ્રૌપદી મહાસતીએ પાંચ પાંડવોનો સ્વયંવ૨ કર્યો હતો. ૧આજ નગ૨માં ધર્મરૂચિ રાજા હતો. જિનેશ્વ૨ ભગવાન નેજ નમવાનો નિયમ હોવાથી વીંટીના રત્નમાં કોતરેલા જિનેશ્ર્વ૨નાં બિંબને નમસ્કા૨ ક૨તો. કાશીના ૨ાજાને કહેવાયું કે આ તમને નમતો નથી. એવાં દોષનાં ઉદ્ભવ દ્વા૨ા ચુગલખોરો વડે ક્રોધિત થયેલા કાશીનાથે ધર્મચિને કેદ કર્યો. ધર્મપ્રભાવથી વૈશ્રમણે સૈન્યહિત વાહન અને પચ્ચક્ર ને ગગન માર્ગે કાશીમાં લઈ જઈને ધર્મÁચને બચાવ્યો. અને તેનો જ સન્માન પાત્ર બન્યો. એ પ્રમાણે અનેક પ્રકા૨ની સુંદ૨ ઘટનાઓ રૂપી રત્નોનું ભંડાર આ નગ૨ મહાતીર્થ છે. આ તીર્થની યાત્રા ક૨વા દ્વા૨ા ભાવિક લોકો જિનશાસનની પ્રભાવનાંને કરતાં આલોક અને ૫૨લોકનાં સુખને અને તીર્થંક૨ નામ કર્મને ઉપાર્જન કરે છે. કુકર્મ રૂપી શત્રુને પીલીને શ્રેષ્ઠ તીર્થ એવાં કાંપિલ્યપુ૨ નાં કલ્પને અશઠ પુરુષો ભણો એ પ્રમાણે જિનપ્રભ સૂચિ કહે છે. || ઇતિ શ્રી કાંપિલ્યપુ૨ તીર્થ કલ્પ: II સંપણી ૧. આ પ્રસંગ અન્યત્ર દેખાતો નથી. ૨. વર્તમાનમાં આ તીર્થ ઉત્ત૨ પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના કાયમગંજ રેલ્વે સ્ટેશનથી ૮ કી.મી. દૂર આવેલી કપિલ હોવાનું મનાય છે. ખોદકામમાં અહીંથી પુરાવશેષો મળ્યા છે. લખનઉ મ્યુઝિયમમાં ૨ાખવામાં આવ્યા છે. (કાંપિલ્યકલ્પ પૃ.૮૦ બાજપેયી કૃષ્ણદત્ત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy