SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અપાપા બૃહત્કલ્પઃ (૨૧) શ્રીવીરપ્રભુને નમસ્કા૨ ક૨ીને વી૨પ્રભુના ર્આગમનથી વિત્ર થયેલ પાવાપુરીનાં કલ્પને અને તેની સાથે જોડાયેલા દીવાળીપર્વની ઉત્પúત્ત ને કહીશ. [૧] ગૌડ દેશમાં પાટલિપુર નગ૨માં ત્રણ-ખંડનો ધર્પત, ૫૨મ શ્રાવક સંપ્રતિરાજા નમસ્કા૨ ક૨ી આર્યસુહસ્તિ સૂરિજીને પૂછે છે કે : 'હે ભગવાન્ ! લોક અને લોકોત્ત૨માં ગૌ૨વવંતુ આ ‘દિવાળી પર્વ' કેવી રીતે પ્રગટ થયું ?' હવે ગુરુ કહે છે કે હે રાજન્ ! સાંભળ. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવી૨ પ્રાણત કલ્પમાં ૨હેલાં પુષ્પોત્તર વિમાનમાં વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. આ અવર્રાર્પણીનો ત્રીજો આ૨ો વીત્યો અને ચોથો આરો-૭૫ વર્ષ ને સાડા-આઠ હિના બાકી રહ્યો ત્યારે આષાઢ સુદ છઠના દિવસે ઉત્ત૨ ફાલ્ગુની નક્ષત્રમાં માહણકુંડગ્રામ નગ૨માં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ત્યાંથી ચ્યવન થતાં ત્રણ જ્ઞાનથી યુક્ત સિંહ-હાથી-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત વી૨પ્રભુ અવતર્યા. ત્યાં બ્યાંસી અહો૨ાત્ર પછી કેંદ્રના આદેશથી હરિણગમેષી દેવે આસોવદ તેરસના દિવસે તેજ નક્ષત્રમાં ક્ષત્રિય કુંડગ્રામ નગ૨માં સિદ્ધાર્થ ૨ાજાની રાણી ત્રિશલાદેવી ના ગર્ભને બદલાવીને ત્યાં (પ્રભુનું) ગર્ભમાં સંક્રમણ કર્યુ. માતાના સ્નેહને જાણીને સાતમા ર્માહને ‘માત-પિતાના જીવવા છતાં હું શ્રમણ ર્નાર્હ થાઉં.' એ પ્રમાણે ભિગ્રહ ગ્રહણ કર્યો. નવ ર્માહના ને સાડા સાત દિવસને અંતે ચૈત્ર-સુદ-તેરસના મધ૨ાતમાં તે જ નક્ષત્રમાં ભગવાન જન્મ પામ્યા. માતા-પિતાએ વર્ધમાન નામ પાડ્યું. પ્રભુ દ્વારા મેરૂ પર્વત કંપાવવો; દેવના ગર્વનો નાશ કરવો, ઈંદ્ર પાસે વ્યાકરણને પ્રરૂપવું ઇત્યાદિ ઘટનાઓ પ્રસિદ્ધ છે. આવા સુંદ૨આચરણવાળા, યુક્ત અને ભુક્ત ભોગી(વી૨પ્રભુ), માતા-પિતા દેવલોકમાં ગયા ત્યારે ત્રીસ-વ૨સુધી ઘ૨માં વસીને, વરસીદાન આપીને ચંદ્રપ્રભા નામની શિંબકામાં બેસીને એકલા ભગવાને એક દેવદૂષ્ય વસ્ત્ર સાથે માગસ૨ વદી દશમના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં છટ્ઠ ભક્તપૂર્વક દિવસના છેલ્લા પહોરમાં જ્ઞાતખંડ વનમાં દીક્ષા લીધી. બીજા દિવસે બહુલ બ્રાહ્મણે ખી૨ વડે પારણું કરાવ્યું, પંચદિવ્ય પ્રગટ થયા. ત્યા૨ પછી બાર વર્ષને તે૨ પખવાડીયા સુધી મનુષ્ય-દેવ તિર્યંચે કરેલા ઉપસર્ગો સહન કરીને, અને ઉગ્ર તપ તપીને વૃંભક ગામમાં ઋજુવાલિકા નદીના કાંઠે ગોઠિકા આસને છટ્ઠભક્ત સાથે તે જ ઉત્તરા ફાલ્ગુના નક્ષત્રમાં વૈશાખ સુદી દશમી ના દિવસે ત્રીજા પ્રહરમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy