________________
ઈતિ એટલે કે ધાન્ય વગેરેને હાનિ કરનાર ઉંદર, તીડ વગેરે જીવોનો
ઉપદ્રવ ન હોય. ૭. મરકી ન હોય, અકાલ મૃત્યુ ન હોય ૮. અતિવૃષ્ટિ ન હોય ૯. અવૃષ્ટિ – વરસાદનો અભાવ ન હોય ૧૦. દુર્ભિક્ષ એટલે દુકાળ ન હોય ૧૧. સ્વરાષ્ટ્રથી કે પરરાષ્ટ્રથી ભય ન હોય.
દેવકૃત ઓગણીસ અતિશય આકાશમાં ધર્મચક્ર આકાશમાં ચામરો
આકાશમાં પાદપીઠસહિત સિંહાસન ૪. આકાશમાં ત્રણ છત્ર પ. આકાશમાં રત્નજડિત ધ્વજ ૬. પગ મૂકવા માટે સોનાનાં કમળ ૭. સમવસરણમાં ત્રણ ગઢ-(૧) રત્નનો (૨) સુવર્ણનો અને (૩) રજતનો. ૮. સમવસરણમાં ચતુર્મુખાંગતા-ચાર રૂપે દેશના ૯. અશોકવૃક્ષની રચના ૧૦. કાંટાઓની અણી નીચી થવી ૧૧. વૃક્ષો નમન કરે ૧૨. ઊંચેથી દુંદુભિનાદ ૧૩. અનુકૂળ વાયુ ૧૪. પક્ષીઓ પ્રદક્ષિણા ફરે ૧૫. સુગંધી જલની વૃષ્ટિ ૧૬ પાંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ ૧૭. દીક્ષા સમયથી નિવણિ પર્યત કેશ, રોમ, દાઢી અને નખ વધે નહિ. ૧૮. ઓછામાં ઓછા કરોડ દેવો સેવામાં હાજર હોય. ૧૯. સર્વઋતુઓ અને ઈન્દ્રિયવિષયો અનુકૂળ, સુખકારક થાય.
ચાર સહજ અતિશય, અગિયાર કર્મક્ષયજ અતિશય અને ઓગણીસ
દેવકૃત અતિશય એમ બધા મળીને કુલ ચોત્રીસ અતિશય થાય. ૩. તીર્થકર ભગવાનની વાણીના પાંત્રીસ ગુણ ૧. સંસ્કારત્વ- સભ્યતા, વ્યાકરણ શુદ્ધિ આદિ ઉત્તમ સંસ્કારોથી યુકત
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org