SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ “ના.” પછી એ અંદરથી magnifying glass લઈ આવ્યા, અને એના પર સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કર્યા. ત્યાં તો ઘાસના તણખલાં સળગી ઊઠ્યાં. પિતાએ કહ્યું : “જોયું ? સૂર્યનાં કિરણો તો ત્યાં જ હતાં પણ વિખરાયેલાં હતા. આ magnifying glassએ શું કર્યું ? કિરણોને એકાગ્ર કર્યા. એકતા, એકાગ્રતા શક્તિ છે. શક્તિએ આ તણખલાંને બાળી નાખ્યાં.” આખો દિવસ સૂર્ય તપ્યા કરે પણ એ ઘાસને બાળશે નહિ પણ પાંચ મિનિટ જો તમે સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કરો તો ઘાસની ગંજી પણ સળગી જાય. પિતાએ પુત્રને કહ્યું : “તું જે કાંઈ કામ કરે તે એકાગ્રતાથી કર, તો એમાંથી શક્તિ પેદા થશે.” તમારી શક્તિ વિખરાયેલી છે, એટલે એ વહી જાય છે. બધા કહે છે પાણી મળતું નથી પણ ચારે બાજુ નળ ખુલ્લા હોય ને પાણી ચાલ્યું જાય તો જ્યારે પાણી જોઈએ ત્યારે ન જ મળે ને ? તમારી શક્તિ પણ આજે એમ જ વહી રહી છે. આખો દિવસ જોવામાં, સાંભળવામાં, બોલવામાં, ચિંતા કરવામાં, પારકો ભાર ઉઠાવવામાં, લોકોની પંચાત કરવામાં શક્તિઓ નષ્ટ થઈ રહી છે. પછી જોઈએ ત્યારે ક્યાંથી મળે ? આ શક્તિઓને કેન્દ્રિત કરવાની છે, એકાગ્ર થવાનું છે. જેમ જેમ શક્તિઓ સંચિત થતી જાય છે તેમ તેમ તમારું સ્વામિત્વ પ્રગટ થાય છે. શાળામાં બધા વિદ્યાર્થીઓ ભણવા જાય છે. બધાને એક જ શિક્ષક ભણાવે, એક જ પુસ્તકમાંથી ભણાવે છતાં એક વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ, એક સેકન્ડ ક્લાસ, એક થર્ડ ક્લાસ અને કો'ક તો વળી ઊડી જ જાય છે. શું શિક્ષકે પક્ષપાત કર્યો ? શું પુસ્તકો જુદાં હતાં ? ના. પહેલા નંબરે આવ્યો એણે એકાગ્રતાથી ભણવાનો પ્રયત્ન કર્યો અને અંદરની શક્તિઓ બહાર આવી. જો જ્ઞાન બહારથી આવતું હોત તો ચોપડીઓથી, શિક્ષકથી, શાળાથી બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં એકસરખા ઉત્તીર્ણ થાત. પણ પુસ્તકો એક હોવા છતાં, શિક્ષક એક હોવા છતાં વિદ્યાર્થીઓના અભ્યાસની અંદર અંતર પડતું જાય છે – એનું કારણ આંતરિક શક્તિઓનો વિકાસ જુદો છે. જ્ઞાન અંદર છે, બહારનાં સાધનો, બહારનાં નિમિત્તો એને મદદ કરે છે. God helps those who help themselves – અંદરનો ભગવાન એને મદદ કરે છે જે પોતાની જાતને, પોતે મદદ કરવા તૈયાર થાય છે. જે પોતાની જાતને તૈયાર કરવા માગતા નથી અને ભગવાન પણ મદદ માનવતાનાં મૂલ્ય : ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy