SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એ ગમે તેવા વિપરીત સંયોગોમાં પણ પૈર્યને ખોયા વિના, ભય રાખ્યા વિના આગળ વધ્યે જ જાય છે. * આત્માના અભિપ્રાયને આધારે આગળ વધે તેનું નામ આત્મજ્ઞાની ! એને પોતાના પ્રત્યેક પગલામાં શ્રદ્ધા હોય છે, પ્રત્યેક ક્રિયામાં નિષ્ઠા હોય છે; અને પોતે સ્વીકારેલ ધ્યેય પાછળ સમર્પિત થવાનો એના હૈયામાં અદમ્ય ઉત્સાહ હોય છે. * પૈસો જો સારે માર્ગે ન વપરાય અને વિલાસને માર્ગે ખરચાય તો જાણજો કે એ પૈસો અન્યાય અને માનવશોષણમાંથી આવેલો છે. જેની પાસે આવો પૈસો હશે તેનું જીવન વિનાશમાં ધકેલાઈ જશે. * બંગાળમાં ભારતેન્દ્ર હરિશ્ચંદ્ર નામના એક ધનપતિ થઈ ગયા. એ ઉદારતાપૂર્વક પૈસા વાપરતા. તેમના સ્વજનો અને મિત્રોએ એક દિવસ ટકોર કરી : “તમે પૈસાને પાણી જેમ જેમ વાપરો છો ?' એમણે હસીને ઉત્તર આપ્યો : “આ સંપત્તિ મારા પિતા તેમજ દાદાને ખાઈ ગઈ છે. મને પણ એ ખાવા માગતી હતી. પણ મેં વિચાર્યું કે એ મને ખાઈ જાય તે પહેલાં હું જ એને ખાઈ જઉં.+ 0 0 0 + “હવે તો જાગોને આધારે. ૪૪૦ : માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy