SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ * ઇમારતનો આધાર તેના રંગરોગાન પર નહિ, પાયામાં પુરાયેલ ઈંટ, પથ્થર અને ચૂના પર છે. તે રીતે ઉન્નતિનો આધાર દમામ દેખાડનાર નેતાઓ ૫૨ નહિ, સેવા માટે આત્મભોગ આપનાર લોકસેવકો પર છે. * આંબાનો રોપનાર આવતી કાલની પેઢીના ભલા માટે જ આંબો રોપતો હોય છે; તે રીતે આપણે પણ આપણા અનુગામીઓના ઉત્કર્ષ માટે કંઈક કરતા જવું જોઈએ. * આજની કેળવણીને ધર્મનું માર્ગદર્શન મળશે તો જ તે જીવનને માર્ગદર્શક બની શકશે. * એકબીજાના પૂરક બનો, એકબીજાને ટેકો આપો, અને એકબીજાને આગળ વધારો. તો તમારી પ્રગતિ ગુણાકારની જેમ આગેકૂચ કરશે. અત્તરનું પૂમડું જેમ વાતાવરણને સુવાસથી ભરી દે છે તેમ આપણે પણ આપણા જીવનને સત્કાર્ય અને સદ્ગુણથી ભરી દઈએ. * પોતાના જીવનનો ભાર બીજા ઉપર નાંખીને જીવતાં શીખવે તે સાચી કેળવણી નથી. માણસ પોતાના પગ ઉ૫૨ ઊભો રહેતાં શીખે, અને કોઈના પણ આધાર વિના જીવી શકે, એ જ પાયાની કેળવણી. * જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાત રાખો, સાદું જીવન જીવો, ઊંચા વિચાર રાખો, સાદો ખોરાક લો અને ઉચ્ચ જીવન બનાવો શિખવાડે તેનું નામ જ તાલીમ. આટલું જે * * આત્માની જરૂરિયાત જેમ જ્ઞાન, સંયમ અને તપ છે, તેમ જીવનની મુખ્ય જરૂરિયાત અન્ન, વસ્ત્ર અને ઓટલો છે. એ સિવાયની તમામ જરૂરિયાત વધારાની તેમજ બોજારૂપ છે. * સ્વાવલંબી જીવનવાળો કોઈનીય સ્પૃહા રાખતો નથી. એનું જીવન નિષ્કલંક હોય છે, અને તેથી જ તે આભને આંબે એવું ઉન્નત મસ્તક રાખીને જીવી શકે છે. * પેટ ભરવાની અને તે માટે સંગ્રહ કરવાની વિદ્યા તો કીડી-મંકોડાને પણ આવડે છે, પરંતુ તે વિદ્યામાં કશી વિશેષતા નથી. વિશિષ્ટતા તો અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારી વિદ્યાની છે. * માનવીના સર્જન સમા રતલ દોઢ-રતલના હાઈડ્રોજન બૉમ્બમાં અમાપ શક્તિ ભરેલી છે, તો પછી એના સર્જક એવા આત્મામાં કેટલી બધી શક્તિ હશે ? Jain Education International ૪૩૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy