SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ મને એક વૃદ્ધની વાત યાદ આવે છે. એંસી વરસની એમની ઉમર હતી. રસ્તાની એક પડખે ખાડો ખોદીને તે એક આંબો વાવી રહ્યા હતા. કોઈકે જઈને પૂછ્યું : “દાદા, તમે આ શું કરો છો ?” દાદાએ કહ્યું : “હું આંબો વાવું છું.' કો'ક એક ટીખળી માણસ હતો. એણે મશ્કરી કરી : “અરે દાદા, તમને તો આ કેવી માયા લાગી છે ? આ આંબો વાવો ક્યારે, એ ઊગે ક્યારે, એનાં ફળ આવે ક્યારે, અને તમે ખાવ ક્યારે ?!' પેલા ડોસાએ કહ્યું : “ભાઈ, આ માયા નથી. આ તો માનવને જે અર્પણ કરવાનું છે તે અર્પણનું આ એક તર્પણ છે.” પેલાને સમજણ ન પડી, એણે કહ્યું : “એટલે શું ?' એમણે કહ્યું : “રસ્તા ઉપર જે આંબા છે તે મારા પુરોગામીઓએ વાવેલા છે, તેની છાયા આજે હું માણું છું. એની કેરી હું ખાઉં છું. ત્યારે મને થયું કે હું પણ એકાદો આંબો વાવતો જઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે અને સાથે સાથે કેરી મળે. આપ આપણે બીજાનો લાભ ઉઠાવ્યો છે, તો સાથે સાથે આપણે બીજાને લાભ આપવાનો પણ છે.” આ વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે, આપણે તો સમાજને કંઈક આપતા જવાનું છે. તેવામાં મહત્તા નથી. મહત્તા તો આપી જવામાં છે. લેવાનું કામ તો બધાય કરી શકે છે. આપનાર જ દુનિયામાં કોઈ વિરલ હોય છે. એટલે, માનવીનાં રહેલી આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ. હવે હું ફરીથી યાદ કરાવું છું કે, આજનો દિવસ આપણા દેશ માટે એક આત્મવિચારણાનો, આત્મસંશોધન માટેનો, ઊંડા ઊતરીને જોવાનો દિવસ છે કે, આપણા દેશ માટે જેણે બલિદાન આપ્યું છે તેના માટે આપણે શું અર્પણ કરીએ છીએ. બલિદાન આપનારને માટે આપણે જો કશુંય અર્પણ કરી શકીશું નહિ, તો આપણે માટે અપાયેલું એ બલિદાન ખરેખર નકામું જશે. આજે આપણે જે મકાનમાં આનંદ કરીએ છીએ તે ઇમારતના પાયામાં જે લોકો ઈંટો અને પથ્થર બનીને સૂતા છે તેમને આજે આપણે કૃતજ્ઞતાપૂર્વક ૪૩૬ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy