SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદના એક ભાઈ મારી પાસે આવીને મને કહેવા લાગ્યા : ‘મહારાજ, મેં ખૂબ પુસ્તકો વાંચ્યાં છે. માણેકલાલ જેઠાલાલ (એમ. જે.)ની આખી લાઇબ્રેરી હું પૂરી કરી ગયો છું.' આટલી વાત કર્યા પછી એમણે ગજવામાં છીંકણીની ડબી કાઢી અને એક સડાકો તાણ્યો. પછી ખિસ્સામાંથી ગંદો રૂમાલ કાઢી નાક સાફ કર્યું. મને થયું, માણેકલાલ જેઠાલાલની આખી લાઇબ્રેરી પૂરી કરી છે, છતાં તેમનું છીંકણીનું વ્યસન ન છૂટ્યું ! એટલે મેં તેમને કહ્યું : ‘તમે તો માણેકલાલ જેઠાલાલની લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચી આવ્યા છો, તો તમને હું એક વાત પૂછું. કહો, તમે લાઇબ્રેરીનું કબાટ તો જોયું છે ને ? એને પાયા કેટલા છે ?' એણે કહ્યું : ‘ચાર.' ‘એ ચાર પાયાના કબાટમાં જેમ ચોપડા ભર્યા છે તેમ આ બે પગ ઉપર રહેલા મગજમાં પણ તમે ચોપડા ભરી રાખ્યા છે. એટલે વાંચવા છતાં વ્યસન ન છૂટે તો તમારું આ મગજ પણ બે પગવાળું બે પાયાવાળું કબાટ જ ગણાયને ?’ જેમ પેલા કબાટમાં ચોપડીઓ ભરેલી છે તેમ આ મગજમાં પણ ચોપડીઓ ભરેલી છે. ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી; ચોપડીઓના જ્ઞાન કે જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે. • લાઇબ્રેરીએ કબાટ ભર્યું અને આપણે આપણું મગજ ભર્યું, એ બન્ને સરખાં છે. કારણ કે કબાટ જેમ ચોપડીઓના જ્ઞાનને આચરણમાં મૂકતું નથી, તેમ આપણે પણ આપણા મગજમાં ભરેલા જ્ઞાનને આચરણમાં મૂકતા નથી. આવું જ્ઞાન શા ખપનું ? એ તો ગધેડા પર ચંદન લાદવા જેવું થયું ! ઉપાડીને ફરે, પણ એને સુવાસ કે શીતળતા કશુંય ન સ્પર્શે. મિત્રો, તમે માત્ર ભણ્યા કરશો, અને પુસ્તકો વાચ્યાં કરશો તેમજ પરીક્ષામાં પાસ થયા કરશો તો, એટલું જ તમારા જીવનક્ષેત્ર માટે પૂરતું નથી. વિદ્યાનો હેતુ કેવળ ભણવા માટે, પુસ્તકો વાંચવા માટે, કે પરીક્ષામાં પાસ થઈને ડીગ્રી મેળવવા માટે તો નથી જ. વિદ્યાનો હેતુ તો જીવનને બંધનમાંથી છોડાવવા માટેનો છે. એટલા માટે તો આપણે ત્યાં વિદ્યાનો મુદ્રાલેખ સા વિદ્યા યા વિમુયે છે. તમા૨ી વિદ્યા જો તમને બંધનમાંથી ન છોડાવે, વિલાસ તેમજ વિકારોમાંથી ૪૨૨ : માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy