SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે, તમે એ વાતને સાથે લેતા જાવ. તમે જ્યારે ઘેર જશો ત્યારે તમારા મગજમાં બીજી પણ કેટલીક વાતો હશે; થોડાક માણસો તરફ તમને દ્વેષ પણ હશે; જેમણે તમને અહીં મોકલ્યા એમાંથી કોઈકે સાક્ષી આપી હશે, કોઈકે સહકાર આપ્યો હશે, તે બધાની સામે તમારા દિલમાં ષ હશે, કટુતા હશે, વેર લેવાની વૃત્તિ હશે. તમને એમ પણ હશે કે જેણે જેણે મને જેલ મોકલવા માં સાથ આપ્યો તે બધાની બહાર જઈને ખબર લઉં, અહીંથી છૂટ્યા પછી એનો પણ દહાડો બરાબર સરખો કરું. મોટાભાગે માનવીનું મન આવા રાગદ્વેષમાં જ સઘય રમતું હોય છે, અને એમાં તમે પણ કંઈ અપવાદ નથી. પણ હું તમને એમ કહ્યું કે આને બદલે તમે વિચાર કરો કે તમને અહીં મોકલનાર એ માણસો નથી, એ સાક્ષીઓ નથી, એ સરકાર નથી, કે એ પોલીસ પણ નથી. તમને અહીં મોકલનાર તો જીવનમાં રહેલી તમારી પોતાની પાશવતા છે. એ ન ભૂલશો કે વ્યક્તિ પ્રત્યે વેર રાખશો તો વેરથી ઝેર વધશે; તમે એ ડાઘને પ્રેમથી ધોઈ. અને અહીંથી બહાર જજો. આ બધું વિચારીને તમે પણ કોશલરાજના જેવો પ્રેમ કેળવો. જ્યારે તમે અહીંથી જાવ ત્યારે મનને ધોઈને જજો, નિર્મળ કરીને જજો, અને અહીંથી જાવ ત્યારે અહીંની ભેટ તરીકે તમે વાત્સલ્ય, પ્રેમ, કરુણા અને ક્ષમા, અહિંસા, દયા, સેવા અને સદ્ભાવના લઈને જજો, અને જે લોકો તમને અહીં મોકલવામાં ભાગ ભજવી બેઠા હોય તેમને કહેજો. કે અમે ત્યાં જઈને એવો એક મંત્ર લઈને આવ્યા છીએ કે તમને અમે ક્ષમા આપીએ છીએ; તમે અમારા માટે જે કર્યું હોય તે ભલે કર્યું, પરંતુ અમે તો હવે તમારા માટે ભલું જ કરવા ઇચ્છીએ છીએ. અહીં તમારે ત્યાં હું મોટરમાં બેસીને નહીં ખાવ્યો અને તમને ઉપદેશ દઈને મોટરમાં ભાગી જવાનો પણ નથી. પદયાત્રા કરીને અહીં આવ્યો છું, આ આઠ માઈલના પ્રવાસનું મહેનતાણું, બીજું કાંઈ નહીં, માત્ર મારી આ વાત તમે યાદ રાખજો. કોશલરાજના પ્રસંગની યાદ દિલમાં સંગ્રહી રાખજો. અહીંથી છૂટા થાઓ અને પછી પ્રસંગ ઊભો થાય ત્યારે, તમે તમારા મગજમાં ફરી કદી એવી કલ્પના ન લાવશો કે કાશીરાજની જેમ ફલાણાએ મને હેરાન કર્યો છે. તમે તો કોશલરાજ જ બનજો અને સર્વને ક્ષમા આપજો. આમ કરશો તો તમે અનુભવશો કે તમારા આત્મામાં જે પેલું દિવ્યત્વ પડ્યું પર જ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy