SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નાખવું, બાળી મૂકવું. અજ્ઞાનમાં કર્મબંધ થઈ જાય તો જ્યારે પણ ખબર પડે ત્યારે તેનો જાગૃતિપૂર્વક-સંકલ્પપૂર્વક નાશ કરવો. તમે તમારી જાતને કહો, “આ વિચાર મારામાં ઘર કરી જશે તો હું કદી સુખી થઈ નહિ શકું. જેમ ભૂલથી પણ બાવળનાં બીજ જમીનમાં પડી જાય તો કાંટાળા બાવળનું ઝાડ ઊગે છે તેમ કર્મ ચોંટ્યા બાદ ભયંકર પરિણામો લાવે છે. તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે, “બંધ સમયે ચેતીએ, ઉદયે શો સંતાપ ?” અર્થાત્ કર્મબંધ સમયે જ આત્માએ ખૂબ જાગ્રત રહેવું પડે. તેથી પાપના અશુભ વિચાર સમયે તેના મૂળમાં જવાય. તમે અગ્નિની ભઠ્ઠીની જેમ તીવ્ર રીતે જાગ્રત થઈ આ કર્મબંધને બાળી શકશો. જૈનદર્શનના સ્વાધ્યાય, ઉચ્ચ વિચારો, અધ્યવસાયો, પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વિનય વગેરેને પણ કર્મબંધને નાશ કરનાર તીવ્ર તપ કહ્યું છે, જેનાથી જૂના અશુભ તત્ત્વ બળી જાય છે. ધ્યાન તો મહાઅનલ છે. તેથી સંવર અને નિર્જરા આ બે ઉપાયોથી ચેતનાશક્તિની ગુલામીમાંથી, કર્મબંધનમાંથી મુક્ત થઈ શકે છે. તળાવના જૂના-ગંદા પાણીને સૂકવી દેવામાં આવે, પછી પાળ બાંધવામાં આવે, પછી સ્વચ્છ નહેર મારફત નવું તાજું શુદ્ધ સુગંધી પાણી અંદર દાખલ કરવામાં આવે તેવી આ ક્રિયા છે. જૈનદર્શનનો સાર આ બે શબ્દોમાં કહેવો હોય તો તે છે “સંવર અને નિર્જરા.” આ પ્રક્રિયાથી તમારું શરીર આત્માને રહેવા માટેનું એક પવિત્ર, સુંદર મંદિર બની જશે. પછી તમારું મન એ મિથ્યા તર્કો, ધૃણા અને અશુભ વિચારોનું સંકુલિત સંગ્રહસ્થાન નહીં બને. તમે સ્વયં દિવ્ય પુરુષ બની જશો. વિશ્વના સઘળા આશીર્વાદ, વગર આમંત્રણે સામે પગલે ખેંચાઈ આવશે. તમારો આત્મા વિશ્વપ્રેમથી સમૃદ્ધ બની જશે. કર્મવિજ્ઞાન સમજવામાં આવે તો વ્યક્તિ પોતાના ભાગ્યનો ઘડવૈયો બની શકે. તેના મુદ્દા નીચે મુજબ છે : શુભ વિચાર જ કરો. શુભ કંપનો ફેંકો જેથી બંધ થાય તો સ્વ-પરહિતકારી શુભવેદ જ થાય. આને શાસ્ત્રીય પરિભાષામાં પુણ્યાનુબંધી પુણ્ય કહે છે, પુણ્યના ઉદયથી સર્વાગી બાહ્ય અત્યંતર સુખ-શાંતિ મળે અને તેનો ઉપયોગ પણ સ્વ-પર-હિતકારી પ્રવૃત્તિઓમાં જ થાય, જેથી પુનઃ શુભ પુણ્ય જ બંધાય. મન-વચન-કાયાથી શુભ પ્રવૃત્તિ થાય ત્યાં તેની વારંવાર અનુમોદના પ્રશંસા કરી તેનો અનુબંધ પાડી તેને ચીકણી બનાવો, જેથી પુણ્ય પણ ચીકણું બંધાય. આ જ રીતે મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ, પ્રમાદ યા અજ્ઞાનથી જડ-ચેતનનું ભેદજ્ઞાન - ૨૮૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy