SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્ય દૃષ્ટિ પર્વતની ટોચ પર આપણે ચઢતા હોઈએ ને ઉપર ધુમ્મસ જામ્યું હોય, ત્યારે સામે આવતી વ્યક્તિને પણ આપણે જોઈ નથી શકતા. કેટલીક વાર અથડાઈ પણ પડીએ છીએ. ધુમ્મસમાં નજીકની વસ્તુ પણ ન દેખાય. મધ્યાહ્નનો સૂર્ય તપે ત્યારે ધુમ્મસ ઊડે ને વસ્તુ દેખાય. તેમ આપણા જીવનમાં પણ સંયમ અને જ્ઞાનનો સૂર્ય તપે તો પ્રકાશ આવે અને દેખાય. જે પરમાત્માને આપણે દૂર માનીએ છીએ તે તો સાવ નજીક છે. પછી સમજાય કે— હું મને ઓળખી શકું તો જ પરમાત્માને ઓળખી શકું. પણ આજ તો હું પોતાને જ ઓળખતો નથી. સ્વરૂપની વિસ્મૃતિ કેવી થઈ છે એના પર કો'કે કહેલી એક રમૂજી વાત સાંભરે છે. એક શીખ મુસાફરીએ ઊપડ્યો. એણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને જીવનમાં પહેલવહેલો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠો. થોડી વાર પછી એને હાજત માટે સંડાસમાં જવાની જરૂર જણાઈ. એણે બારણું ઉઘાડ્યું. ત્યાં સામે જ કાચ હતો. એ કાચમાં એનું પ્રતિબિંબ પડ્યું. એને લાગ્યું કે અંદર કોઈ છે. એટલે બારણું બંધ કરી એ પોતાની જગા પર બેસી ગયો. પાંચ-દશ મિનિટ કરતાં કલાક થયો પણ કોઈ નીકળે નહિ. અંદર કોઈ હોય તો નીકળે ને ? થોડી વાર એ પ્રતીક્ષા કરતો બેઠો, ત્યાં એને ઝોકું આવી ગયું. પછી જાગ્યો એટલે એને લાગ્યું કે હવે તો તે બહાર નીકળી ગયો હશે. પાછું બારણું ખોલ્યું તો સામે જ માણસ દેખાયો. આટલી વારથી આ માણસ અંદર ભરાઈ બેઠો છે, એટલે જરૂર કોઈ બદમાશ હશે એમ જાણી એણે ટિકિટચેકરને બૂમ પાડી. આવનાર પણ આના જેવો જ બુદ્ધિનો જરા દુશ્મન હતો. એણે બધી વાત સાંભળી. પછી બારણું ઉઘાડ્યું તો પોતાના જ જેવો રેલવે હેટવાળો માણસ અંદર દેખાયો. એણે ઝટ પાછું બારણું બંધ કરતાં કહ્યું : “યહ અંદર તો હમારે સ્ટાફ કા આદમી હૈ, ઉનકો હમ કુછ ભી નહીં કહ સકતે, તુમ બાજુ કે કમ્પાર્ટમેન્ટમાં જા સકતે હો.'' આ વાત ૨મૂજી લાગે છે, કેમ ? પોતાના જ પ્રતિબિંબને કાચમાં નહિ ઓળખનાર આ બંને મૂર્ખ લાગે છે, ખરુંને ? પણ આપણે પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખીએ છીએ ? આપણા પોતાના સ્વભાવનું, પોતાની વૃત્તિઓનું, પોતાના માનસનું આપણને પોતાને જ ભાન નથી. બીજાની વૃત્તિઓનો અને વિચારોનો આપણે જેટલો અભ્યાસ કરીએ છીએ, એટલો આપણો પોતાનો અભ્યાસ ક્યારે કર્યો છે ? Jain Education International ૨૦૨ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy