SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ રઘુનાથે પૂછ્યું ! “મિત્ર ! આ શું કર્યું ?” કરુણાઠું સ્મિત કરી ચૈતન્યદેવે કહ્યું : “જે ગ્રન્થ મારા મિત્રના કીર્તિચન્દ્રને રાહુ બની ગળી જતો હોય તે શા કામનો ? રઘુ ! આપણે તો બાળગોઠિયા. તું જાણે છે કે હું સૌના ભલાની ભાવનામાં રમું છું. અને મિત્રનું જ ભલું ન કરી શકું તો બીજાનું ભલું તો હું શું કરી શકું ? જે ગ્રંથે તારા દિલ પર ઘા કર્યો એ ગ્રંથનો મેં પાણીમાં ઘા કર્યો...” અર્પણના આ દશ્ય પર પૂનમનો ચાંદ ચાંદની વર્ષાવી રહ્યો હતો. આંખમાં આવેલાં આંસુને લૂછતાં રૂઘનાથે કહ્યું : “મિત્ર, તેં તો જુલમ કર્યો. તારો વર્ષોનો શ્રમ પાણીમાં ગયો. પણ તારી આ જગતવ્યાપી કીર્તિ.. ?” “રઘુ ! કીર્તિની ખાખને જે શરીરે ચોળી જાણે તે જ કંઈક કરી શકે. કીર્તિનો મોહ છોડ્યા વિના કલ્યાણ નથી. મારી કીર્તિ કોઈનાય માટે ભયરૂપ હોય તો એ કીર્તિથી સર્યું !” આ સાંભળી રઘુનાથ એના ચરણોમાં ઢળી પડ્યા. “ચૈતન્યદેવ ! તેં જ ખરું મેળવ્યું. મેં તો કેવળ ટીકાઓ જ કરી છે. અમે પૂજાઈશું. તમે અણપ્રીડ્યા રહેશો, પણ પૂજાનારા તળિયે જશે, અને અણપ્રીછળ્યા તરી જશે....' આ પ્રસંગ આપણને ક્ષણભર વિચાર કરતા કરી મૂકે છે. આપણે આપણા વર્તમાન જીવન સાથે આ પ્રસંગને સરખાવીએ તો આપણું જીવન કેવું વામણું લાગે ! આપણે જ્યાં જઈએ ત્યાં ભય જ ઊભો કરીએ છીએ. આપણી વાણીમાં અભય નથી, આપણા વર્તનમાં અભય નથી, આપણા હૈયામાં અભય નથી. ચારે બાજુ ભયનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આપણા સમાગમમાં આવનાર આપણો ભય રાખે અને સામાના સમાગમમાં જતાં આપણે ભય રાખીએ. આ રીતે અરસપરસ ભય ને અવિશ્વાસ ઊભાં છે. ખરી રીતે આ ભય હોવો ન જોઈએ. પ્રાણી અને માનવી વચ્ચે તો અભય, અને વિશ્વાસ હોવો જોઈએ ! ભગવાનનાં ઘણાં વિશેષણોમાં એક વિશેષણ છે – અમથકથી. કેવું સુંદર છે, આ વિશેષણ ! ભગવાન અભયના દેનારા છે. દુશ્મનનેય ભગવાન તરફથી ભય નહિ, કૂર પ્રાણી પણ ભગવાન પાસે અભય થઈને આવે. એટલે ભગવાન સાચા અર્થમાં દાતા છે. આપણે એમના જ ભક્ત છીએ, પણ આપણે દાતા નહિ, પણ ખાતા – જેનું મળે તેનું ખાધે જ જઈએ. ભગવાન બધુંય જાણે છે. શું કર્યું, શું કરે છે, ને શું કરશે. બધુંય જાણવા છતાં એનાથી ભય નહિ, ખૂન કરીને ગયેલો ખૂની પણ દયા માટે પ્રભુ પાસે જાય તો પ્રભુ સભા વચ્ચે એમ ન કહે કે “અલ્યા ખૂની ! તું અહીં કેમ હવે તો જાગો ! * ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy