SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ રણસંગ્રામમાં યોદ્ધાની મ્યાનમાંથી ચમકતી તલવાર નીકળે તેમ એના મુખમાંથી પણ તીખી ને તમતમતી ઝેરી વાણી જ નીકળે ને ? વાણીની તલવાર એવી વીંઝે કે સભાના ટુકડેટુકડા થઈ જાય ને ? ઘણી વાર તો આવા દંભીઓ, “મારામાં કંઈ નથી.” એમ કહી જગતને છેતરે છે, અને આડકતરી રીતે એમ સૂચવે છે કે, જે છે તે અમારામાં છે અને અમારામાં જે નથી તે જગતમાં ક્યાંય નથી. પણ ભરતજી આવા ન હતા. એ તો મહાપુરુષ હતા. મૂછ ઊતરી એટલે શ્રી ભરતે પૂછયું : “શ્રી રામ ક્યાં છે ?' ઉત્તર મળ્યો : “એ તો વનમાં ચાલ્યા જાય છે !' આ શબ્દો સાંભળતાં જ એમનું હૃદય ધ્રૂજી ઊઠ્ય, અને શ્રીરામને મળવા, એ અયોધ્યાની ઊભી શેરીએ દોડવા લાગ્યા. ઉઘાડા પગવાળા અને વિખરાયેલા વાળવાળા ભરતને લોકોની આંસુભીની આંખો જોઈ જ રહી. શું એમનો ભાઈ પ્રત્યેનો શુદ્ધ પ્રેમ ! શું એમનો ત્યાગ ! અયોધ્યાની સૂની શેરીઓમાંથી એક જ અવાજ આવતો હતો. આનું નામ ભ્રાતૃભાવ ! સગા ભાઈ ન હોવા છતાં કેવો અદ્દભુત પ્રેમ ! શ્રી ભરત તો શ્રીરામની પાછળ દોડ્યા જ જતા હતા. દૂરથી શ્રી ભરતને જોતાં જ શ્રીરામનું હૃદય ભરાઈ આવ્યું. વાર્તા જ મૃન ગુમાર તે એનું નામ. કર્તવ્યને પંથે કઠોર રીતે ચાલનાર કૃતનિશ્ચયવાળા શ્રી રામનું હૃદય ભાઈના સ્નેહ આગળ મીણ જેવું બની ગયું. ભરતે પોતાનું માથું જેવું શ્રીરામના ચરણે મૂક્યું. તે જ પળે શ્રીરામ ભરતને ઊંચકીને હૈયેહૈયુ દળાય એ રીતે ભેટી પડ્યા. બંને ભાઈઓની આંખોમાંથી આંસુનાં ઝરણાં વહેવા લાગ્યાં. બંને દિલોમાં એકબીજા માટે અદ્દભુત લાગણીઓ છલકાતી હતી. આ પવિત્ર ઊર્મિઓના સાગરને ઝીલવા તો સમર્થ કવિનું પાત્ર પણ નાનું પડે. એ મિલનમાં કેવા ભાવનાના તરંગો ઊછળે ! અરસપરસ એમ જ થાય કે, અમે એકબીજામાં સમાઈ જઈએ. આ પ્રેમભીના દશ્યને જોનાર શ્રી લક્ષ્મણ અને શ્રી સીતાજીની આંખો પણ ધન્ય બની હશે ને ? શ્રી લક્ષ્મણજી મનમાં એમ બોલ્યા હશે : જાઓ મૈયા, પ્યારે ભૈયા, રહેગા નામ તુમ્હારા, જબ તક ચમકે ચાંદ સિતારે, ચમકે નામ તુમ્હારા.” કહો, તમે જ કહો, બંધુઓ ! આ વિરલ દશ્યને જોતાં માતા ધરતીને કેટલો આનંદ થયો હશે ? આ ઘરડી ધરતી માતાના હૈયામાં પોતાના કુપાત્ર સંતાનોના વેરઝેરના કેટકેટલા દાવાનળો બળતા હશે, એમાં આ વાત્સલ્યભીના ૧૪૨ ૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy