SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International >>>&***+*** ચી લોકપ્રિયતા એ છે કે જે દ્વારા આ માણસનું પોતાનું અને બીજાનું એમ બેઉનું કલ્યાણ થાય. ધર્મી માણસે આ લોકપ્રિયતા કેળવવી જોઈએ. એ કાંઈ બહારની વાતોથી, ભાષણોથી નહિ આવે. દુનિયા એમ ખોટાને માની લે એવી મૂર્ખ નથી હોતી. જ્યારે માણસના જીવનમાં એ ઊતરી હોય છે ત્યારે જ એને દુનિયા માને છે; ત્યારે જ એ લોકપ્રિય થઈ શકે છે. આ લોકપ્રિયતા અને ધર્મીનો શો સંબંધ ? જેણે લોકપ્રિયતા નથી કેળવી, તેનામાં દૂષણો હોવાનો સંભવ છે. પોતાનાં દૂષણો જાણે તો જ એ ધર્મી તરીકે ખપી શકે. ૧૫. વિનય-દર્શન દુનિયાનો સાગર એવો ચંચળ છે કે જેનામાં આ નહિ હોય એવો માણસ, દુનિયામાં લોકપ્રિયતાના કદાચ પાઠ ભજવશે તોય થોડી વારમાં ઊથલાઈ જવાનો છે. લોકપ્રવાહમાં કામ કરવું એ તો અગ્નિની સાથે બાથ ભીડવા જેવું છે. તમારે એ અગ્નિ પાસે જવું હોય તો તમારે પાણી બનીને જવું જોઈએ. ૬૦ ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy