SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના જીવન એક પરમ રહસ્ય છે. સદીઓથી, અંતહીન કાળથી જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, તત્ત્વજ્ઞાનીઓ, સાધકો, ઉપાસકો અને ન જાણે કંઈ કેટલા ઋષિ-મુનિઓ જીવનના પરમ રહસ્યને પિછાણવા.. પામવા... સ્પર્શવા મથે છે. સ્વાન્તઃ સુખાય પ્રારંભાયેલી એ શોધની યાત્રા દરમ્યાન જે મેળવે છે... જે મળે છે.. એ બધું ગમતાંનો કરીએ ગુલાલ' એ અભીપ્સા સાથે સહુજન હિતાય, બહુજન સુખાય... સર્વજન સહાય એઓ વહેંચતા હોય છે. જ્ઞાન ખીલવે તે જ્ઞાની કહેવાય. જ્ઞાન કેળવે તે જ્ઞાની કહેવાય. છેલ્લી સદીના આવા શ્રેષ્ઠ જ્ઞાનીજનોની શ્રેણીમાં એક નામ અનાયાસે ઊભરી આવે છે અને એ નામ છે ચિત્રભાનું ! ૨૬-૭-૧૯૨૨ના રૂપરાજેન્દ્ર તરીકે આરંભાયેલી એમની જીવનયાત્રા ૬-૧૨-૧૯૪૨ના દિવસે જૈનદીક્ષામાં ચંદ્રપ્રભસાગર મુનિ તરીકે પરિણમી. - પરિવર્તન અનિવાર્ય છે, શાશ્વત છે. પ્રત્યેક વસ્તુ બદલાય છે. પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય.. સ્થિતિ હોય કે પરિસ્થિતિ હોય.. પણ પરિવર્તન એ પ્રત્યેક પળની પ્રક્રિયા છે ! પરિવર્તનમાં આરોહણ પણ હોય અને અવરોહણ પણ હોય. પરિવર્તનમાં વિકાસની ક્ષિતિજો એક પછી એક કમળની પાંદડીઓની જેમ ખીલતી જાય... અને ઊર્ધ્વરોહણની યાત્રા આરંભાય... પણ જો દિશા અવળી હોય... ઊંધી હોય તો અવરોહણની ઊંડી ખીણ તરફ પણ જીવન ધકેલાઈ જાય ! વિકાસના બદલે હાસ તરફ દોરી જાય ! ચિત્રભાનુજીના પ્રત્યેક પરિવર્તને એમને નવો પ્રકાશ ચીંધ્યો છે. વૈચારિક અને વ્યવહારિક પાસાંઓના પરિવર્તનથી એમનું આંતરજગત તો વૈભવી બન્યું છે જ, સાથે સાથે એમણે પોતાના આસપાસને પણ ઊર્જસ્વી બનાવ્યું છે. ઓજસ્વી કર્યું છે. (3) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy