SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અકબરે હરિદાસને આનું કારણ પૂછ્યું : “એ દિવસે મેં આપને જંગલમાં ગાતા જોયા ત્યારે તો તમારી આંખમાંથી આંસુની ધારા વહેતી હતી : આજે આમ કેમ !” ત્યારે એણે જવાબ આપ્યો, “હું જ્યારે પ્રભુને રિઝવતો હતો ત્યારે મારા અંતરમાં આંસુ હતાં, પણ આજ તો હું જગત અને બાદશાહને રિઝવું છું એટલે માત્ર આનંદ જ હોય.” આત્માના આ જ્ઞાનની ભાષા મૌન છે. જીવનના, અંતરના ઊંડાણને પારખવા માટે માણસમાં ગંભીરતા જોઈએ. જાતને વેચનાર આજે કદાચ હસશે પણ કાલે એ રડવાનો છે. આનંદથી મળતી વસ્તુ આંસુથી મૂલવવી પડે છે. જીવનની મહત્તા લેવામાં નહિ, પણ એના ત્યાગમાં રહેલી છે. આત્મા કરતાં વધુ ધનિક કોઈ પણ વસ્તુ નથી. આ મુદ્રતાનો પરિત્યાગ એટલે ગંભીરતા. આત્માને પામવા માટે આવી ગંભીરતા જોઈએ. જે માણસ દુન્યવી સુખોથી વેચાઈ જતો નથી તે જ ખરો મહાન છે. જેનો આત્મા ખરીદાઈ શકાતો નથી તેના જીવનમાં ગંભીરતા વ્યાપેલી હોય છે. જીવનમાં પ્રલોભનો સામે ઊભા રહેવાની શક્તિ એનામાં આવે છે. જીવનનાં ઘર્ષણોમાંથી એવાને જ જીવનનું નવનીત મળી શકે છે. તા. ૫-૭-૧૯૬૦ ધર્મરત્નનાં અજવાળાં ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy