________________
છે. ઓમ્કારનાથજી એક નમતી સાંજે મને મળવા આવ્યા, સાથે એમના શાગિર્દ હતા. મેં એમને કહ્યું :
પંડિતજી ! માલકોશમાં કંઈક ન સંભળાવો ?' અને એમણે એક ભજન લલકાર્યું. એ પદને એમણે અડધો કલાક ઘૂસ્યું. ખંડનું વાતાવરણ માલકોશના સૂરમય બની ગયું. સંગીત થંભ્ય, પણ વાતાવરણમાં માલકોશની કોઈ અજબ છાયા પ્રસરી ગઈ. પંડિતજી કહે: “મહારાજશ્રી, મારી સાથે બેઠેલા આ ગવૈયામાંથી કોઈ આ ખંડમાં દુર્ગા ગાય તો હું પાંચ હજાર રૂપિયા હારી જાઉં.' મેં પૂછ્યું, “એમ કેમ ?' એમણે કહ્યું : “રાગની એક ઘેરી અસર હોય છે. સંપૂર્ણ આરોહ-અવરોહ સાથે પૂર્ણ કરેલા સૂરમાં એવું એક વિશિષ્ટ વાતાવરણ જામી ગયું હોય છે કે જેમાં કોઈ બીજો રાગ ગાઈ શકાય જ નહિ, અને કોઈ ગવૈયો ગાવા જાય તો ફરી એ માલકોશ પર જ આવીને ઊભો રહે. રાગની આ એક અસર છે. ત્યારે મેં કહ્યું પંડિતજી ! રાગની જેમ અસર છે, તેમ વૈરાગ્યની પણ એક અસર છે. ભગવાન મહાવીરની વૈરાગ્યમય મૈત્રીની એવી એક અસર હોય છે કે એમાં જન્મજાત વૈરી આવે તો પણ એ વેરની અસરને ભૂલી જાય. સાપ અને નોળિયો, ગાય અને વાઘ, ઉંદર અને બિલાડી સામસામા બેસે પણ વેરભાવ સંભારી જ ન શકે. એ વાતાવરણમાં મૈત્રીની એક એવી કરુણાપૂર્ણ મધુર અસર હોય છે કે ત્યાં વેર ટકી જ ન શકે.
એક દીવામાંથી હજાર દીવા પ્રગટે છે, તેમ હૃદયમૈત્રીમાંથી વિશ્વમૈત્રી પ્રગટે છે. એક દાણો વાવીએ તો એમાંથી હજારો દાણા ઊગે, તેમ આપણા હૈયામાં મૈત્રીનો એક દાણો હોય તો એમાંથી જ વિશ્વમૈત્રીના અનેક ભાવ પ્રસરે.
મૈત્રી વિના ક્ષમા નથી, અને ક્ષમા વિના મુક્તિ નથી.
તો મૈત્રી આદિ ભાવોનો મંગળમય પ્રકાશ આપણાં અનુષ્ઠાનોના અણુઅણુમાંથી પ્રગટો એવી શુભેચ્છા.
૩૧૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org