SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૫૮. યોગપ્રાપ્તિ માટે જે આપણે ‘યોગ'ના મહિમા વિષે વિચારીએ. યોગ શું છે ને શું કરે છે એ વસ્તુ સમજીએ. યોગની તાકાત કેટલી છે ! અગ્નિ જેમ કચરાને બાળી નાખે છે એમ, અંતરમાં રહેલ કર્મના કચરાને યોગ બાળી નાખે છે. મનમાં સંગ્રહાયેલા કષાયોના ગંજને એ રાખ કરી નાખે છે. યોગની તાકાત વાસનાને બાળી ભસ્મ કરવાની છે. બાળવામાં પણ ચોક્કસ વસ્તુને બાળે છે જે રીતે તેજાબ સોનાની અંદર રહેલા કચરાને બાળે છે, સોનાને નથી બાળતો, સોનાને તો એ વિશુદ્ધ બનાવે છે, તે રીતે યોગ કચરાને-કષાયોને બાળે છે અને આત્માને તેજોમય બનાવે છે. ભગવાનનાં દર્શનનો આનંદયોગ આ શબ્દો બરાબર સમજો. દર્શન થાય તો આનંદ થાય; પણ દર્શન પામવા મન, વચન અને કાયાના સમાધિમય યોગની આવશ્યકતા છે. શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે, દર્શનના અમૃતનો પ્યાલો મળે તો ચાર સાધન ૨૬૧ — For Private & Personal Use Only — www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy