SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. ચિત્તન એ પરમ તત્ત્વના વિનિશ્ચય માટે છે યા બે દિવસમાં આપણે દાન અને ગ વિદ્યાનો વિચાર કર્યો. આજનો વિચાર ચિંતન-મનનનો છે. મહાપુરુષો કહે છે કે મનન કરે એ મનુષ્ય; પણ મનન શાનું કરવું ? આજે એ શોધવાનું છે. માણસ દરેક વસ્તુને ઇન્દ્રિયોથી જૂએ છે, વિવેકની આંખવાળા મનથી નહીં પણ વસ્તુને ચિન્તનના ચીપિયાથી જો પકડવામાં આવે તો જ એ ને બરાબર પકડાય. ઇન્દ્રિયો કેટલું અલ્પ જુએ છે ? પાણીના પ્યાલામાં આંખથી જૂઓ તો શું જ દેખાય ? એકે જીવ દેખાય ? પણ મેગ્નિફાઇંગ ગ્લાસથી જોશો તો હજારો જીવ દેખાશે. જે આંખ સાધન વિના જોઈ શકતી નથી, એ સાધનથી એને દેખાય; 0 અને સાધનથી પણ જે ન દેખાય, તે જ્ઞાનીને જ્ઞાનથી દેખાય. મહાપુરુષો કહે છે : ઇન્દ્રિયોથી મન સૂક્ષ્મ છે; પણ મનથીય ગૂં સૂક્ષ્મ જ્ઞાન છે. ચાર સાધન - ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy