SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. સગુણની ઉપાસના એ પદષ્ટિ એ માણસનો અનાદિ * કાળનો એક કુસ્વભાવ છે, ટેવ છે. છે કોઈ વસ્તુ ઢાળ તરફ વહી જાય તો એમાં જે કાંઈ એની મહત્તા નથી. જિંદગીમાં ચઢવું જ મુશ્કેલ હોય છે; ઊતરવું તો સાવ સહેલું છે. દુનિયામાં માણસને અધમ બનાવનાર તે આ દોષદૃષ્ટિ છે; જ્યારે જીવનને આગળ હું વધારનાર તો ગુણદૃષ્ટિ છે. તમને ખબર છે કે આખા ગામનો “ કચરો ભેગો કરનાર માણસ, પોતે કચરો સંઘરીને ઘરમાં નથી રાખતો. કચરાને ભેગો કરી એ ઉકરડામાં નાખે છે. તો પછી, ૐ આપણે લોકોના દોષની ગંદકી આપણી સાથે આ લઈને શું કરવા ફરવું ? આમ કરનાર માણસ તો પેલા કરતાંય વધુ નીચ છે. એ તો બધાના દોષો જોઈ, પોતાનામાં સંઘરી રાખે છે. આવો માણસ જ્યાં ખરાબ વાતો જ થતી હોય ત્યાં દોડી જાય છે અને ઘરનું દિવેલ બાળી બીજાના દોષ શોધે છે. માટે સમાજને સ્વચ્છ રાખવા માટે ૧૪૦ % ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy