SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જાગશે. પેલા શિષ્યે ત્રણ મંત્રોનો ખોટો ઉપયોગ કર્યો અને પરિણામે એણે ખોટી લોકપ્રિયતા મેળવેલી તે આખરે ગઈ ને ફજેત થયો. ખાઈને માંદો પડ્યો અને ઊંઘીને પ્રમાદી બન્યો, કારણ ? એનામાં માધ્યસ્થપૂર્ણ સાચું જ્ઞાન, વિજ્ઞાન, ચેતના નહોતાં જાગ્યાં. એકવાર ફરીથી એને એનો પ્રજ્ઞ ગુરુબન્ધુ મળ્યો. એણે જોયું કે એણે તો માત્ર ગુરુના શબ્દોને પડ્યા છે, પણ એના ભાવને એ સમજ્યો નથી. મોઢે શબ્દો કર્યા છે, ગોખ્યા છે, કડકડાટ બોલી જાય છે પણ એ ભાવને ભૂલ્યો છે. એ પ્રશ્ન શિષ્યે પછી પેલાને બતાવ્યું કે ગુરુના ત્રણ સંદેશનો ભાવ તો એવો હતો કે મીઠું ખાવું એટલે એકાંતરે ખાવું, તપ કરીને ખાવું; ખરી ભૂખ લાગે ત્યારે ખાવું. તપને પારણે સૂકો રોટલો પણ મીઠો બની જાય છે. ચીનનો એક તત્ત્વચિંતક એકવાર અમેરિકા ગયો. ત્યાં એ દાક્તરોની પરિષદમાં ગયો. દાક્તરોએ એને પૂછ્યું કે તમારા ત્યાંના દાક્તરો કેવા છે ? કાંઈ જાતઅનુભવ છે ? તત્ત્વચિંતકે કહ્યું કે ‘હા, એક્વાર હું માંદો પડ્યો. મેં દાક્તરને બોલાવ્યો. એણે એકના બે રોગ કર્યા. બીજાને બોલાવ્યા; એણે ત્રીજો રોગ ઉમેર્યો. પછી મેં ત્રીજા દાક્તરને બોલાવ્યો, પણ ત્યારે એ ગામમાં ન હતો. એ એક અઠવાડિયે આવ્યો પણ ત્યાં તો દવા વગર જ મારો રોગ મટી ગયેલો.' આજના ઘણા રોગો વિષે આ શું સાચું નથી ? કેટલાક રોગો ડૉક્ટરોથી નથી વધ્યા ? હા, કેટલાક જરૂર મટ્યા હશે પણ વધ્યા છે કેટલા ? આપણા રોગોનું કારણ એ છે કે આપણું અન્ન આજે મીઠું નથી રહ્યું. આપણે તો તીખું, ચટાકેદાર ખાઈને છીએ. બાકી ખરેખર ક્ષુધા લાગે ત્યારે તો સાદું અન્ન પણ મીઠું લાગે. પેલા ગુરુએ કહેલું કે ‘મીઠું ખાઓ' એટલે ત્યારે ખાઆ કે જ્યારે અન્ન મીઠું લાગે; ભૂખ લાગે ત્યારે; તપ અને તિતિક્ષા પછી જ ખાઓ. અને લોકપ્રિયતા એટલે ? નિ:સ્પૃહતા. જે માણસને દુનિયામાંથી કાંઈ પણ લેવાની ઇચ્છા નથી, તે લોકપ્રિય થાય છે. આવી લોકપ્રિયતા ભાષણોમાંથી, મીઠી વાતો કરવાથી કે જ્યોતિષના મંત્રતંત્રથી નથી આવતી. એ તો જેને લેવાની ઇચ્છા નથી, પણ આપવાની સ્પૃહા છે તેને જ વરે છે. જેના અંતરમાં માત્ર અપેક્ષા જ પડેલી હોય એ કેવી રીતે લોકપ્રિય થઈ શકે ? એ તો ગરોળી જેવો કહેવાય. ગરોળી માત્ર લેવાનો જ સદા વિચાર કરે છે; કાંઈક મેળવવાની જ ઇચ્છા રાખે છે. આવી રીતે ઘણા માણસો અપેક્ષા Jain Education International ધર્મરત્નનાં અજવાળાં * ૧૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy