SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ દરજીએ કહ્યું : “અન્નદાતા ! આપને માટે કામ કરું અને એમાં ખામી હોય ?” અઠવાડિયા પછી ઘણી જ ખંતથી તૈયાર કરેલું સુંદર ટેભાવાળું અંગરખું દરજીએ હાજર કર્યું. રાજાએ જોયું. એ ખુશ થયા. એની કલા પર મુગ્ધ થયા. પણ સંતના અંગરખા જેવા વ્યવસ્થિત ને એકધારા ટેભા એમાં ન હતા. રાજાએ કહ્યું : “કામ સારું છે. તમે તમારી કલા બતાવી છે, પણ આ ટેભા પેલા સંતના અંગરખા જેવા તો નથી જ.” દરજીએ કહ્યું : “અન્નદાતા ! મેં હાથથી, આંખથી, મારી આવડતથી થાય એટલું કામ કર્યું છે. પણ પેલા અંગરખામાં તો આ બધાની સાથે મારો હૃદયનો પ્રેમ પણ કામ કરતો હતો. એટલે હું શું કરું ? પ્રેમના ટેભા ફરીફરી ક્યાંથી લાવું ?” ૩૬૬ * મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy