SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યાની આંખમાં ગુણ હતો – પોતાની નિંદા અને બીજાની પ્રશંસા. સાધુની આંખમાં દોષ હતો – પોતાની પ્રશંસા અને બીજાની નિંદા. એ કારણે વેશ્યાને પ્રકાશ લાધ્યો અને સાધુને અંધકાર.” ૬૮૪. માન મળે તો જ્ઞાન મળે ! હુબલી સમરાંગણમાં સંયમી તો થયા, પણ એમના હૈયામાં રહેલી બાં માનની ગોળી નહોતી ગળી એમના મનમાં એમ કે કેવળજ્ઞાન થયા પછી ભગવાન ઋષભદેવ પાસે જઈશું તો સંયમમાં મોટા પણ ઉંમરમાં નાના મારા ભાઈઓને નમવું નહિ પડે. એટલે કેવળજ્ઞાન મેળવવા એમણે તપ આદર્યો. કેવો આકરો તપ ! એમની કાયા પર વેલડિયો વીંટાઈ, એમના કાનમાં ચકલાંએ માળા નાખ્યા, તોય એમને જોઈતી વસ્તુ ન લીધી. એમની કાયાએ તાપનાં, ટાઢનાં, વરસાદનાં દુઃખડાં વેક્યાં, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થયું, કારણ કે અભિમાનની ગોળી નહોતી ગળી. ભગવાન ઋષભદેવે કરુણા આણી, બાહુબલીની બે સાધ્વી બહેનોને બોધ આપવા મોકલી. બહેનોએ કહ્યું; બાંધવા ! હાથી ઉપરથી નીચે ઊતરો, માનના શિખર પર બેઠેલાના હૈયામાં જ્ઞાનની જ્યોત પ્રગટતી નથી. ત્યાં ગર્વના વાયુ વાય છે. જ્ઞાનદીપ બુઝાઈ જાય છે, માટે વીરા ! નીચે ઊતરો. જ્ઞાનના સૂર્યની આડે અભિમાનનો પડદો આવે છે ત્યારે માણસ છતી આંખે અંધ થાય છે.” શાણા બાહુબલી ચમક્યા. એમનો આત્મા નાના બાંધવોને વંદન કરવા તૈયાર થયો. અંતરમાં લઘુતા આવી. માત્ર એક જ ડગ ભર્યું ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશથી એમનો આત્મા પ્રકાશી ઊઠ્યો. વાહ ! માન ગળે તો જ્ઞાન મળે ! ૩૬૪ ૨ મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy