SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૧. જેણે છોડ્યું, તેને કોઈ ન છેડે ! ગ અને ભોગની તેજછાયાથી બનેલા આ જગતનો વિચાર કરતા મુનિ ત્યા રાજગૃહની શેરીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. એમની નજરે એક દશ્ય પડયું, અને એ થંભી ગયા : એક કૂતરું મોંમાં હાડકું લઈ પૂરઝડપથી દોડી રહ્યું હતું અને દશેક કૂતરાંએ તેનો પીછો પકડચો હતો. થોડે જ આઘે જતાં એના પર બધાંય કૂતરાં ત્રાટકી પડચાં અને જોતજોતામાં તેને લોહીલુહાણ કરી મૂક્યું. અંતે એ શ્વાન થાકયું. પોતાનો જીવ બચાવવા એણે એ હાડકાને પડતું મૂક્યું. તે જ ક્ષણે સહુએ એને છોડી દીધું. દશમાંના એકે એ હાડકું ઊંચકી લીધું. હવે પેલાં નવ, આ એમના જ સાથી પર ત્રાટક્યાં અને પહેલા શ્વાનની જેમ એને પણ ધૂળ ભેગું કર્યું. આ બીજા કૂતરાએ પણ પહેલાની જેમ પોતાનો જીવ બચાવવા હાડકું છોડી દીધું અને સલામત થયું. હવે હાડકું ત્રીજાએ ઝડપ્યું તો સૌએ એના પર હુમલો કર્યો. કૂતરાઓની નજ૨ હાડકા પર હતી. હાડકું ઝડપે તે લોહીથી ખરડાય. સંત વિચારી રહ્યા : જે ગ્રહણ કરે તે દુ:ખી થાય. જે છોડે તે સુખી થાય. ૬૮૨. સંસારની શેરડી સું સારનું કલહમય જીવન જોઈ. જીવનદાતા સૂર્યદેવ નિરાશ થઈ અસ્તાચળ પડ્યો, અને સૂર્યદેવનો ગ્લાનિભર્યો ચહેરો હર્ષથી નાચી ઊઠ્યો ! ભક્ત કવિ તુકારામ શેરડીના દશ સાંઠા લઈ ઊભી બજારે ચાલ્યા જાય છે. એમની આંખમાં બાળક જેવી નિર્દોષતા છે, મુખ ૫૨ ગુલાબ જેવું મૃદુ ને મુક્ત હાસ્ય છે. એમને જોઈ બાળકો ઘેલાં થાય છે. નિર્દોષ બાળકોને જોઈ પોતે ઘેલા થાય છે. Jain Education International ૩૬૨ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy