SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસની વાત છે. કોઈ નજીવી વાતમાં બંને વચ્ચે ઝઘડો થયો. મિણબત્તીએ અગરબત્તીને કહ્યું : “નારા શરીર સામે તો જો ! કેવી દુર્બળ છે તું ! અને તારું રૂપ તો જો, કોઈ સામું પણ ન જુએ !” અગરબત્તી ચૂપ રહી. અગરબત્તીના મધુર મૌનથી મીણબત્તી વધારે કડકાઈથી બોલી : “મેં શું કહ્યું, સાંભળતી નથી ? કેમ જવાબ નથી આપતી ? તારામાં એટલી આવડત ક્યાં છે કે તું મને જવાબ આપે ?” આ વખતે પણ અગરબત્તી ચૂપ રહી. મીણબત્તી હસીને પોતાની બડાઈ હાંકતી હતી, “મારી સામે જો, હું કેવી રૂપાળી છું ? મારા પ્રકાશથી ઓરડો કેવો સોહામણો લાગે છે ?” મીણબત્તીનો અહંકાર બોલી રહ્યો હતો, ત્યાં હવાના એક ઝાપટે મીણબત્તી ઓલવાઈ ગઈ ! પરંતુ અગરબત્તીમાં તે એક જ સર્વશ્રેષ્ઠ વસ્તુ હતી : “સંતોષની સુરભિ .” ઉ૭૭. શબ્દ નહિ, સંવેદન ૨-બાર વર્ષ સુધી સમર્થ જ્ઞાનીની નિશ્રામાં વિદ્યાભ્યાસ કરી બંને ભાઈઓ બા ઘેર આવ્યા. સ્વાધ્યાય અને ચિંતનનાં તેજ એમના મુખને અજવાળી રહ્યાં હતાં. એમના આગમનથી ઘર અને ગામમાં આનંદ આનંદ હતો. વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસ હતો. માત્ર એમના પિતા જ શાંત અને સંચિત હતા. નમતી સાંજે સમય મળતાં એમણે મોટાને પ્રશ્ન કર્યો : “તું ભણ્યો તો ખૂબ પણ પરમાત્મતત્ત્વની તને કંઈ ઝાંખી થઈ ? આત્માની અનુભૂતિ થઈ ?” મોટાએ તો શાસ્ત્રોમાંથી એક પછી એક શ્લોકો સંભળાવવા જ માંડ્યા. પિતાએ કહ્યું : “બસ, આ તો તેં પારકું કહ્યું, ગોખેલું બોલી ગયો, આમાં તારી અનુભૂતિ શું ?” પિતાએ એ જ પ્રશ્ન બીજાને પૂછ્યો. નાનાએ નમન કરી કહ્યું : “પિતાજી ! શું કહું ? જે અરૂપી છે તે રૂપી ભાષા વર્ગણાની જાળમાં કેમ બંધાય ? જે શાંત છે, તે અશાંત એવા શબ્દોમાં કેમ ઊતરે ? અંજલિમાં સાગર ૩૦ દિવસની ૩૦ વાતો જ ૩૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy