SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨. સંપત્તિ નહિ, સહાનુભૂતિ ની ઉંમર સિત્તેર વર્ષની હતી. ટૂંકા પગારમાં જિંદગીભર નોકરી કરતા એ શું ? પત્ની વીસ વર્ષ પહેલાં મરી ગઈ હતી. દીવા જેવો અંકનો એક પુત્ર હતાં તે પણ અકસ્માતમાં ખપી ગયો. ભીખ માંગવી એ પણ એક કળા છે, તે આ વૃદ્ધને ક્યાંથી આવડે ? રસ્તાના એક નાકા પર શિર ઝુકાવી એ રોજ ઊભો રહેતો. સાંજ સુધીમાં રૂપિયો મળતાં એ રોટલા ભેગો થતો. આજ પણ એ માથું ઝુકાવી ઊભો હતો ત્યાં એક ગૃહસ્થ આવ્યા. એમનું હૈયું દ્રવી ગયું. કંઈક આપવા એમણે ખિસ્સામાં હાથ નાંખ્યો. રે, પાકીટ તો ઘેર રહી ગયું ! એ સજ્જને લાગણીપૂર્વક પોતાના બન્ને હાથમાં પેલાનો હાથ ઝાલી કહ્યું : ‘મિત્ર ! આપવું છે પણ કંઈ જ આપી શકતો નથી. ખિસ્સું ખાલી છે.'' વૃદ્ધની આંખ અશ્રુથી ભરાઈ ગઈ. ‘તમે કહો છો, કંઈ જ આપી શકતો નથી, પણ તમે તો મને આજે સૌથી વધારે આપ્યું છે. માણસ એકલા રોટલાનો જ ભૂખ્યો નથી; એને સહાનુભૂતિ અને લાગણીની પણ ભૂખ છે. આજ સુધી સૌએ માત્ર પૈસા આપ્યો છે, તમે તો મને પ્રેમ હા, પ્રેમભીનો પ્રસાદ આપ્યો છે. ૬૨૩, મુક્તિનું રહસ્ય ત્માના અમૃતને પામવા વૈભવ અને વિલાસનો ત્યાગ કરી ભગવાન મહાવીરે મહાભિનિષ્ક્રમણ કર્યું. વનની નીરવતામાં મગ્ન થવા જતા - હતા ત્યાં ઇન્દ્રે આવી નમન કરી એક નમ્ર વિનંતી કરી : “પ્રભો, આપનો માર્ગ કઠિન છે. સાડા બાર વર્ષમાં, આપના આ સાધનાના કાળમાં આપને પરેશાન કરવા અનેક ઉપસર્ગો આવનાર છે, તો કષ્ટના એ કાળમાં આપની સેવા કરવા અને એ ઉપસર્ગોને દૂર કરવા મને સંમતિ આપો. જાણે મૌને જ વાચા લીધી હોય એવા પ્રશાંત મધુર સ્વરે પ્રભુએ કહ્યું : ‘દેવરાજ, તમારી ભાવનાનું હું સન્માન કરું છું પણ તમે જ કહો, તીર્થંકરો કદી કોઈની સહાયતાથી થયા છે ? મદદથી મળે તે મોક્ષ ન હોય, બીજું બધું આપ્યું અપાય પણ મુક્તિ તો એકાકી સાધનાના સાધકને જ મળે. એ બહારથી Jain Education International કણમાં મણ ૩૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy