SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ સનતકુમારની કરુણાભીની આંખો જરા પહોળી થઈ. એમણે જમણા હાથની આંગળી પોતાના ડાબા હાથ પર ફેરવી, અને જોતજોતામાં એટલા ભાગની એ ચામડી સુંવાળી સુવર્ણવર્ણી થઈ ગઈ. સનતે કહ્યું : ‘વિપ્રો ! શરીરના રોગને મટાડવાની શક્તિ તો મારામાં આવી ગઈ છે, એટલે મારે એની જરૂર નથી. મારે તો અંતરનો રોગ મટાડે એવું ઔષધ જોઈએ છે. બહારના રૂપને શું કરવું છે ? એ રૂપ તો કુરૂપતામાં પણ ફેરવાઈ જાય. મારે તો આતમનું રૂપ જોઈએ છે, કે જે પામ્યા પછી કદી કુરૂપતા ન આવે.’’ તપસ્વી સનતની આ સાધનાને કારણે ચરણે મસ્તક નમાવી વૈદ્યના વેશે આવેલા દેવો તેજના વર્તુળમાં વિલીન થયા. રાજગૃહીના ઉદ્યાનમાં શ્રેણિકને ભગવાન મહાવીરે કહ્યું : ‘‘શ્રેણિક ! માનવી જ્યારે કોઈ પણ વસ્તુનો ગર્વ કરે છે ત્યારે તે વસ્તુનો વિનિપાત થાય છે અને વિનિપાત થવાનો હોય ત્યારે માનવીને ગર્વ કરવાનું મન થાય છે. સનતના રૂપનો નાશ થવાનો હતો ત્યારે તેના મનમાં ગર્વ આવ્યો, અને જ્યારે એ ગર્વ ગળી ગયો ત્યારે તેનું સાચું રૂપ ખીલી ઊઠ્યું.’ ܀ ૬૦૭. અર્પણ ન્સના માર્સેલ્સ શહેરમાં ઈસ. ૧૭૨૦માં એકાએક મરકીનો રોગ ફાટી ફ્રી નીકળ્યો. માણસો માખીની જેમ મરવા લાગ્યાં. સ્મશાનમાં મડદાંઓના ઢગ ખડકાવા લાગ્યા. માણસો રોજ એટલા મરે કે એને બાળનાર કે દાટનાર પણ ન મળે. આખો પ્રાંત મૃત્યુના મહાભયથી ધ્રૂજી ઊઠ્યો. ડૉક્ટરોના બાહ્ય ઉપચારો બધા નિષ્ફળ ગયા. ઘણી વાર તો ડૉક્ટર દવા આપવા જાય કે તપાસવા જાય તો એ પોતે જ રોગનો ભોગ થઈ મૃત્યુશરણ થાય. મૃત્યુ, મૃત્યુ ને મૃત્યુ, મૃત્યુ વિના બીજી વાત નહીં ! આ રોગના નિદાન માટે પ્રખ્યાત ડૉક્ટરોની એક સભા મળી. વિચારોની આપ-લે થઈ. સૌ એક નિર્ણય ૫૨ આવ્યા : ‘આ રોગ સામાન્ય ઉપચારોથી મટે તેમ નથી. મરકીના રોગથી મૃત્યુ પામેલા માણસનું મડદું ચીરીને જોયા વિના એનું નિદાન અશક્ય છે.' પણ પ્લેગથી મરણ પામેલા માણસનું મડદું ચીરે કોણ ? આવા ચેપી રોગનાં જંતુઓથી વ્યાપેલા શરીરને ચીરવું, એટલે યમને સામે પગલે નિમંત્રણ મોકલવું ! યમને ભેટનાર વીર લાવવો ક્યાંથી ? સૌને જીવન વહાલું ? બિલાડીને ગળે ઘંટ બાંધે કોણ ? Jain Education International ૩૧૦ × મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy