SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ભરાવદાર મુખ, દૂધ જેવી ધોળી દાઢી, જળથી ભરેલા સરોવર જેવી કિરૂણાપૂર્ણ આંખો અને સંયમથી સશક્ત દેહ આ સૌ મહાનામની પ્રતિભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં હતાં. આ પ્રતિભાશાળી વિભૂતિના શબ્દો પર રાજા વિચાર કરી રહ્યો હતો. એનો આત્મા ભૂતકાળના સાગરને તરતો તરતો બાલ્યકાળના કિનારે જઈ પહોંચ્યો : શ્રાવસ્તીના રાજા પ્રસેનદિને કપિલવસ્તુ પાસે કન્યા માંગી હતી. અભિમાની નાગરિકોએ ના પાડેલી. આથી વાતાવરણ યુદ્ધમાં ફેરવાઈ જાત, પણ આ મહામના મહાનામે પોતાની દાસીપુત્રીને આપી પ્રસેનદિનને શાન્ત કર્યો ! એ દાસીપુત્રીનો પુત્ર વિડ્રભ ! પણ આ કાવતરાએ પોતાને જે કલંક લગાડ્યું, તેનો આજ એ બદલો લેવા માગતો હતો. મહાનામ એનો દાદો ! વળી પોતે નાનપણમાં અહીં મોસાળે આવ્યો, ત્યારે આ દાદા પાસે એક વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરેલો. એટલે એ રીતે એ વિદ્યાગુરુ પણ ખરો ! એક નહિ, બે સંબંધ ! દાદો ને ગુરુ ! વડવાનલ જેવો વિડૂભ પળવાર ઢીલો પડ્યો. એનાથી બોલાઈ ગયું, દાદા ! ગુરુદેવ !' “રાજન, હું તને એ જ વાત યાદ આપવા આવ્યો છું. વિદ્યાભ્યાસ કર્યા પછી વિદાયવેળાએ તેં મને ગુરુદક્ષિણા માટે આગ્રહ કર્યો હતો, તે યાદ છે ? અને મેં કહ્યું હતું, દક્ષિણા મારી થાપણ તરીકે રાખી મૂકજે. અવસર આવ્યું હું માગી લઈશ.” હા, હું સમજ્યો. આપ નહિ માંગો તોય હું મારો ધર્મ સમજું છું. આપ અભય છો. આપને કોઈ નહિ સ્પર્શે.' રાજાએ તરત સેનાપતિને આજ્ઞા કરી : “જાઓ, શીધ્ર જાઓ. લૂંટ કરતા સૈનિકો મહાનામના ઘેર પહોંચી ન જાય. એ મારી પાસે ગુરુદક્ષિણા માંગવા આવ્યા છે. મારો શિષ્યનો ધર્મ છે કે એમનું ગૃહ અભય અને સુરક્ષિત રહેવું જોઈએ. આ કપિલવસ્તુ પર મારું પ્રાચીન વેર છે. એમના અભિમાનના ચૂરેચૂરા કરવાનો અવસર આજ ઘણાં વર્ષે આવ્યો છે. પણ એ વેરના અગ્નિમાં આ મહાનામનું ગૃહ હોમાઈ ન જાય તે બરાબર ધ્યાનમાં રાખજો.” કરુણાભર્યો હાથ ઊંચો કરતાં મહાનાએ કહ્યું : “ઊભા રહો ! હું એવો સ્વાર્થી નથી કે મારી જાતની જ રક્ષા માંગું, હું તો આખી નગરી માટે અભય માંગું છું.” ‘ગુરુદેવ, આવો આગ્રહ ન કરો. જે આગમાં હું બની રહ્યો છું, તે આગ હજારો ઉપદેશોની વૃષ્ટિથી પણ શમે તેમ નથી. એ સર્વસ્વને બાળીને જ જંપશે !” ૩૦૪ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy