SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ગગનનો સૂર્ય શિક્ષણની આ નવી રીત ઉષાને કહેવા અસ્તાચળ પરથી સરી પડ્યો. પ૯૪. દષ્ટિ તેવી સૃષ્ટિ ણસની જેવી દૃષ્ટિ હોય છે, તેને તેવી જ સૃષ્ટિ દેખાય છે. માણસ કાળાં ચશ્માં પહેરે તો એને આખું જગત કાળું દેખાય, ઉજ્જવળ ચંદ્ર પણ શ્યામ દેખાય ! વિશ્વને એના સ્વરૂપે જોવા માટે પણ નિર્મળ દૃષ્ટિ જોઈએ. હસ્તિનાપુરની રાજસભામાંથી દુર્ગુણીને શોધી કાઢવાનું કહ્યું ત્યારે ધર્મરાજાને કોઈ દુર્ગણી ન દેખાયો; કારણ કે પ્રત્યેક માનવીઓમાં એમણે કંઈક ને કંઈક વિશિષ્ટ ગુણો જોયા, એમને સો સદ્ગુણી જ લાગ્યા. જ્યારે આ વાત દુર્યોધનને કહેવામાં આવી ત્યારે, એની નજરમાં કોઈ સદ્ગુણી ન જ આવ્યો; કારણ કે એણે ગુણવાન આત્મામાં પણ કંઈક ને કંઈક દુર્ગુણ શોધી કાઢ્યો અને એને આખી સભા દુર્ગણીઓથી ઊભરાયેલી દેખાઈ ! ૫૫. અર્પણ ધર્મ વણી વાર વિચાર આવે છે કે, ભારતની સંસ્કૃતિના મૂળમાં એવાં તે કયાં તત્ત્વો પડ્યાં છે કે એના પર આટલાં આક્રમણો અને આટલા પ્રહારો થયા છતાં, એનો આત્મા અખંડ રહ્યો ! આટલા પ્રહારો થયા પછી કોઈ પણ સંસ્કૃતિનો આત્મા અખંડ રહ્યો હોય એવો દાખલો ઇતિહાસને પાને નોંધાયો નથી. ભારતની સંસ્કૃતિએ પ્રહારો સહ્યા છે, આક્રમણો વેક્યાં છે, છતાં એ પડી નથી, ઊભી છે. વણસી નથી, વિકસી છે. આનાં સ્થૂળ કારણો ન મળતાં હોય તોય આ વાત સાંભળ્યા પછી લાગે છે કે આવી ઉદાત્ત ભાવના એના મૂળમાં ધરબાયેલી છે. અપૂર્વ અર્પણ ભાવના જ આ સંસ્કૃતિનો આત્મા છે. અકબરના પુત્ર સલીમે મેવાડ પર ચઢાઈ કરી તે દિવસની આ વાત છે. એક રાજ્ય બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરે ત્યારે, ચઢાઈ કરનાર રાજ્ય, જે રાજ્ય પર આક્રમણ કરે ત્યાંથી જ પોતાના સૈન્ય માટે ખોરાક મેળવે, એવો સ્વાભાવિક ક્રમ હોય છે, એટલે સલીમના સેનાપતિએ હુકમ કર્યો, “જાઓ, ઘોડાઓ માટે લીલા ચણા કાપી લાવો.” બિંદુમાં સિંધુ ૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy