SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ લાગી, “અમારે મનગમતું એટલે માંસ. અમને માંસ વિના બીજું શું પ્રિય હોય ?' “ફરી માંસ ? અરે ભલાભાઈ ! માંસ સિવાય બીજો કાંઈ ખોરાક માગ. અભયવ્રતવાળો હિંસા કઈ રીતે કરી શકે ? નિર્દોષને ભય ઉત્પન્ન કરવો એ તો વ્રતભંગ કહેવાય.” રાજન ! માંસ એ અમારો ખોરાક છે, અને એ પણ વાસી નહિ, તાજું માંસ. વ્રત પાળવું કે તોડવું તે તમે જાણો. હું તો મારા પેટ માટે માંસ માંગે છે. અને ખરું કહું તો રાજન ! ધર્મ વાતોથી નથી પળાતો. વર્તનથી પળાય છે ! બીજાનું નહિ તો તમારું માંસ આપો. પણ આપો. માંસ આપ્યા વિના તો નહિ જ ચાલે !” નફટાઈના શિખરે બેસી બાને કહી જ નાંખ્યું. વાદળીઓ ચારે બાજુથી ધસી રહી હતી. વાતાવરણની ગંભીરતા સૂર્ય સમજી ગયો. એ દૃશ્યને જોવાની હિંમત ખોઈ બેઠેલો સૂર્ય વાદળામાં સંપૂર્ણ સંતાઈ ગયો. મેઘરથની આજ્ઞા થતાં ધર્મમંદિરમાં કાંટો ગોઠવાઈ ગયો. એક પલ્લામાં પારેવું હતું, બીજા પલ્લામાં મેઘરથ પોતાની જાંઘમાંથી કાપી કાપીને માંસની પેશીઓ ગોઠવી રહ્યા હતા. લોહીનું ઝરણું વહી રહ્યું હતું. પલ્લામાં માંસની પેશીઓની ઢગલી થઈ, પણ પલ્લું જરાય ન નમ્યું. મેઘરથ એક ક્ષણ વિચારમાં પડ્યા. પારેવાનું તે આટલું બધું વજન ? કંઈ કાવતરું તો નહિ હોય ? પણ મારે શું ? મારે તો મારું વ્રત પાળવું છે. વૈર્યના ભંડાર મેઘરથ પોતે જ ત્રાજવામાં બેસી ગયા. સૌના મોંમાંથી આહ નીકળી ! “નાથ ! એક નાચીજ પારેવા માટે પ્રાણત્યાગ ન હોય. આ તો કંઈક કાવતરું છે. આપની જાંઘમાંથી વહી જતું લોહી જોઈને અમને તમ્મર આવે છે.” સભામાંથી પોકાર ઊઠ્યો. પલ્લામાં બેઠેલા મેઘરથે કહ્યું : “ગમે તે હો, કાવતરું હો કે સત્ય હો ! મારે મન આ પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞા એ મારો પ્રાણ છે અને પ્રતિજ્ઞા એ મારું ધન છે. પ્રતિજ્ઞાપાલન એ જ જીવનની સાચી ઇતિશ્રી છે. પ્રતિજ્ઞા તૂટે ત્યારે એક માનવીનું જીવન નથી તૂટતું, પણ લાખો માનવીઓનાં હૈયાં તૂટે છે. પામરતા પ્રતિજ્ઞાનો ભંગ કરાવે છે. સાત્ત્વિકતા પ્રતિજ્ઞાને અભંગ રાખે છે.” મેઘરથના અમર ઘોષ પર મોહેલી નવજાત વાદળીઓ વરસી રહી. અમીછાંટણાઓથી ધરતી શાતા અનુભવવા લાગી. ત્યાં ઓચિંતો પ્રકાશનો પુંજ ચારે બાજુ પ્રસર્યો. અને એમાંથી એક અનુપમ લાવણ્યઝરતી સુંદર આકૃતિ પ્રગટી. ૨૮૬ - મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy