SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અરે, ભલા રાજા ! ત્યારે પાણીના એક પવાલાના બદલામાં જે રાજ્ય આપી દેવું પડે, એવા સામાન્ય રાજ્યને મેળવવા ને સાચવવા માટે તેં તારા અમૂલ્ય જીવનને ધૂળ કર્યું ! અને એનો અફસોસ કરવાને બદલે ઊલટો ગર્વ કરે છે !' આ સચોટ દલીલથી રાજાની ઊંઘ ઊડી ગઈ ! મનમાં જાગૃતિ આવતાં રાજાની આંખમાં નમ્રતાનાં નીર આવ્યાં. એનું માથું નમ્રતાથી સંતચરણમાં ઢળ્યું, અને આમ્રના વૃક્ષ ઉપર બેઠેલી કોયલ જાણે ટહુકી ઊઠી : ‘આત્મજાગૃતિનો જય હો !' ૫૭૯. વિનિમય એ ક ધૂર્ત, ઘીના ઘડામાં ઉ૫૨ ઘી અને નીચે પાણી ભરી, કો'કને ફસાવા જઈ રહ્યો હતો. ܀܀ બીજો ધૂર્ત પિત્તળના કડા પર સોનાનો જ૨ા ઢોળ ચડાવી વેચવા જઈ રહ્યો હતો. જાઉં.’ માર્ગમાં બંને સામસામા મળ્યા. પહેલાંએ કહ્યું, ‘ઘી લેવું છે ?' ‘હા, પણ તારે આ સત્તાનું કડું લેવું છે ?' પૂર્વે પૂછ્યું. ચાલો આપણે વિનિમય કરીએ. તમે આ ઘડો લઈ જાઓ. હું કડું લઈ આ સમજ્યો મેં છેતર્યો, બીજો સમજ્યો મેં બનાવ્યો. જગતમાં પણ આમ જ આપ-લે ચાલે છે ને ? ૫૮૦. વિજયધ્વજ રાણસીની વિદ્વત્સભા એ દિવસે ધ્રૂજી ઊઠી. અનેક સભાઓને જીતી, એક વીદિગ્વિજય પંડિત એ દિવસે વારાણસીના વિદ્વાનો સાથે જ્ઞાનચર્ચા કરવા આવવાનો હતો. પાંચસો તો તેની આગળ વિજયધ્વજ હતા. એ આવ્યો. સભા ભરાઈ. ઘણા દિવસો સુધી શબ્દરૂપી મેઘમાળાની ઝડી વ૨સી અને કાર્તિકની પૂર્ણિમાના દિવસે એણે સભાનો જય કર્યો. વિદ્વત્સભાના સઘળા પંડિતો શરમયો મસ્તક નમાવી રહ્યા. વિજયી પંડિતે હગર્જના કરી : ‘હજુ કોઈ છે બાકી ? હારું તો આ પાંચસો વિજયધ્વજ મૂકી એના ચરણોમાં પડું.' Jain Education International ૨૭૦ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy