SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારોનાં તો નામ પણ કેમ ઉચ્ચારાય ? એટલે શાણી પુત્રી આગળ પિતાએ હકીકતોનું જ વર્ણન કર્યું. - ગંગા પ્રેમાળ અને શરમાળ હતી. મર્યાદા એના શ્વાસોશ્વાસ હતા. પણ આ પ્રસંગ તો પોતાના જીવનના અસ્તિત્વનો હતો. આવી વાતમાં ખોટી શરમ રાખી લજ્જાનો આડંબર કરવો એ આત્મવંચના ગણાય. એણે નમ્રતાપૂર્વક વિનયભરી વાણીમાં કહ્યું : “પિતાજી ! આપ જ એક વાર કહેતા હતા કે, લગ્ન એટલે બે આત્માઓના વિચારોનું જોડાણ. આ જોડાણ ત્યારે જ થાય કે એકબીજાના વિચારોની ભૂમિકા સમાન હોય; એકબીજાનાં મંતવ્યોને સ્વીકારવા બંનેના આત્મા ઉત્સુક હોય અને સાથીના દૃષ્ટિબિન્દુને સહૃદયતાપૂર્વક જાણવાની ઉલ્લાસમય પ્રણયભાવના હોય તો જ લગ્ન સાર્થક થાય ! પણ રાજકુલમાં અને રાજકુમારોમાં જે સ્વછંદ અને જીવન પ્રત્યે ઉપેક્ષાભરી દૃષ્ટિ દેખાય છે, તે જોતાં મારું મન લગ્નના નામથી પણ કંટાળો અનુભવે છે.” પણ બેટા, બધા કુમારો કંઈ એવા નથી હોતા.' દીકરીના વાણીના ધોધને રોકવા જવુરાજે કુમારોનો બચાવ કર્યો. આ બચાવથી તો ગંગાદેવીનો આત્મા બમણા જોરથી પ્રકાશી ઊઠ્યો. હા, પિતાજી, કોઈક કુમાર એવો પણ હોય જે જીવનને શ્રદ્ધા અને પ્રજ્ઞાભરી દૃષ્ટિથી નિહાળતો હોય, પણ તે ક્યાં? આપણી સામે આ જે કુમારો છે. તે તો એમ જ સમજે છે કે લગ્ન કર્યા એટલે એક રમકડું ઊંચકી લાવ્યા. એ રમકડાને અલંકારોથી શણગારો, વસ્ત્રોથી વિભૂષિત કરો, શૃંગારથી સજ્જ કરો અને તેની સાથે ફાવે ત્યારે અને ફાવે તે રીતે મોજ કરો. વિલાસ ઉડાવો અને એનો જીવનરસ ચૂસો. એ રમકડું જૂનું થાય તો એને રાજમહેલમાં પડ્યું રહેવા દો, અને બીજું નવું ઊંચકી લાવો. “પિતાજી ! આમ તો જુઓ, આ રાજાઓનાં અંત:પુર એટલે નારીનાં સંગ્રહાલય ! મારે આવા સ્વચ્છંદી રાજાઓના સંગ્રહાલયના સભ્ય બનવાની જરાય ઇચ્છા નથી. તો નિર્ણય કર્યો છે કે જે મારા વિચારોને સત્કારે, મારું કહ્યું સાંભળે, એક પત્નીવ્રતની પવિત્ર ભાવનાથી બંધાય એવો કોઈ સ્વતંત્ર છતાં સંયમી સાથી મળે તો જ લગ્ન કરવાં, નહિ તો આજીવન કૌમાર્યવ્રત પાળવું.' પોતાની પુત્રીની પ્રજ્ઞાપૂર્ણ વિચારસ્વાતંત્ર્યની આ ઉજ્જવળ ભાવનાથી જહુરાજાને આનંદ તો થયો, પણ સાથે સાથે ચિન્તાની એક ઝીણી રેખા એના મુખ પર આવીને દોડી ગઈ : આવો પુરુષ મળે ક્યાંથી ? પણ એ હિમ્મત ન હાર્યા. એ આશાવાદી હતા. એમણે ચારે તરફ દૂત મોકલ્યા અને રાજકુમારોને તેડાવ્યા. ભવનું ભાતું ૨૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy