SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવ્રતને વિચાર આવ્યો : હું પૌષધ કરું, મૌન પાળું, ઉપવાસ કરું અને એના પારણાના દિવસે, મારા જ ઘરમાં આવેલા માણસોને દેહાન્ત દંડ થવાનો છે, એ સાંભળું છતાં હું ઉપેક્ષાપૂર્વક બેસી રહ્યું, એ શું મારા ધર્મને છાજે છે ? મારા મૌનની પૂર્ણાહુતિ શું રક્તપાતથી થાય ? મારા વ્રતનું ઉઘાપન શું ફાંસીથી થાય ? ધર્મી માણસની સાધનાની કલગી અપરાધીને દંડ દેવામાં છે કે ક્ષમા આપવામાં ? અને અપરાધી કોણ ? વધારે સંગ્રહ કરનાર કે સંગ્રહ વિનાનો નિર્ધન ? એ ચોરવા કેમ આવ્યો ? મારે ત્યાં વધારે હતું તો ને ! એણે ચોરી કેમ કરી ? એની પાસે ન હતું તેથી ને ! તો જેની પાસે નથી, તે જેની પાસે વધારે હોય તેની પાસેથી લઈ જાય, અપરાધી ? અને જેની પાસે ઘણું છે, છતાં સંતોષના અભાવે જેની પાસે થોડું છે એને નિચોવી લે, એ શું શાહુકાર ? દુનિયા પણ કેવી છે ? નાના ચોરોને સજા કરે છે અને મોટા ચોરોને સલામ ભરે છે ! શ્રીસુવ્રતે પૂજાનાં કપડાં બદલ્યાં. રાજદ્વારે શોભે એવાં વસ્ત્રોનું પરિધાન કર્યું. રથારૂઢ થઈ રાજમહેલ પ્રતિ જતાં જતાં એણે મનમાં જ નિર્ણય કર્યો : ‘પણ દુનિયા ગમે તે કરે. મારે મારી રીતે જીવવું છે. આજ સુધીમાં મેં કેટલીય વાર મૈત્રી અને પ્રેમના મંગળ સૂત્રનું રટણ કર્યું છે, પણ એનો પ્રયોગ સંસારની આ પ્રયોગશાળામાં મેં કદી કર્યો નથી. આજ એનો પ્રત્યક્ષ પ્રયોગ કરવાની ઘડી આવી છે. શાહુકારને જોતાં તો પ્રેમ અને મૈત્રીએ મારામાં અનેક વાર દર્શન દીધાં છે, પણ આજ તો મારે ચોરનાં દર્શને પણ એ ભાવ જગાડવો છે. એમને જોતાં જો હૈયામાં ઊંડી મૈત્રી પ્રગટે, ક્ષમાનો પ્રકાશ પથરાય તો જાણું કે આજ સુધી મારાં મુખે ઉચ્ચારેલાં ધર્મસૂત્રો, એ મારા આત્માના જ બોલ હતા. એ વિચારી જ રહ્યા હતા ત્યાં રથ દરબાર આગળ જઈને ઊભો રહ્યો. શ્રીસુવ્રત સાથે સુંદર ભેટ લાવ્યા હતા : તે લઈ એ રાજા પાસે ગયા. ભેટ ધરી નમન કર્યું. રાજાએ પણ એમનું સન્માન કર્યું અને પૂછ્યું : કહો, સુવ્રતશેઠ ! આજ અત્યારે આટલા વહેલા કેમ આવવું થયું ?' સુવ્રતની આંખમાં કરુણા હતી. મુખ પર ભાવમાંથી પ્રગટેલી પ્રસન્નતા હતી અને શ્વેત વસ્ત્રોમાં શોભતો એમનો ઉજ્જ્વળ દેહ એમના જીવનમાં વણાયેલી ઉજ્જ્વળ ભાવનાની જાણે ઉદ્દઘોષણા કરતો હતો. Jain Education International ભવનું ભાતું : ૨૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy