SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વીરા ! તારી આ અદ્દભુત પ્રતિભા અને શક્તિ રાજ્યો જિતાડવામાં અને રાગદ્વેષ વધારવામાં જ વાપરીશ ? આત્મા માટે કાંઈ જ નહિ ? મહિનાનો એક દિવસ પણ શું તે આત્મા માટે ન આપી શકે ?' આ પ્રેમભર્યા વચનો સૂરના હૈયામાં સોંસરાં ઊતરી ગયાં. એણે કહ્યું : જરૂર, એક દિવસ તો જરૂર મારા માટે હું કાઢી શકું અને એ દિવસ આપના ચીંધ્યા માર્ગે હું વિતાવી શકું.' “પ્રત્યેક મહિનાની એકાદશી એ તમારો સાધનાનો દિવસ હો ! એ દિવસે તમારે બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ પૌષધ લેવો અને મૌનમાં આત્માનું ચિંતન કરવું !' હૈયાના ઉમળકાપૂર્વક સંતનો આ ઉપદેશ એણે સ્વીકાર્યો. લાંબી જીવનયાત્રામાં એણે આ દિવસને પોતાનું જીવન-પાથેય માની આરાધ્યો અને જીવનયાત્રા પૂર્ણ કરી, સ્વર્ગના સુખ માણી, સૂરચંદે શૌર્યપુરના શેઠ સમૃદ્ધિદત્તનાં પત્ની પ્રીતિમતિની કૂખે જન્મ લીધો. ગર્ભમાં હતો ત્યારે પ્રીતિમતિને સુંદર વ્રત પાળવાનો દોહો જાગ્યો, એટલે એનું “સુવ્રત” એવું નામાભિધાન કર્યું. સુવ્રત કેવો ભાગ્યશાળી ! એના માતા-પિતાના સુંદર સંસ્કારનો વારસો એના દેહને મળ્યો. અને એના આત્માને ગતજન્મના ધર્મનો વારસો મળ્યો. શિયળ અને સંસ્કારથી એનું જીવન મઘમઘી રહ્યું. સુવ્રત બાલ્યકાળ વટાવી, યૌવનને આંગણે આવ્યો; પણ એની ઇન્દ્રિયો શાંત છે. વૈભવના ફુવારા એના જીવનમાં ઊછળી રહ્યા છે, પણ એનું મન સાધુ જેવું સંતોષી છે. એને કંઈ જ આકર્ષતું નથી. એની પ્રિયા શ્રીકાન્તા સોહામણાં આભૂષણો લાવી એને પહેરાવે છે, તો એ કહે છે; “સખી, આ તો ભાર છે. દેહ અલંકારોથી નહિ, પણ આચરણથી શોભે છે. પ્રિયે ! આ દેહની માટીને આ ખાણની માટીથી મઢવા કરતાં ભવ્ય ભાવનાથી મઢીએ તો સારું નહિ ?' સમૃદ્ધિદત્ત અને પ્રીતિમતી પોતાના ઉચ્ચ સંસ્કારી આ પુત્રને જોઈને રાજી રાજી થાય છે. પણ કોઈક વાર એ જ્યારે દૂર દૂરની ક્ષિતિજ પર નજર માંડીને બેઠો હોય અને એની ભાવભરી આંખોમાં કોઈ અણઊકલ્યા ઊંડા ભાવો રમતા દેખાય ત્યારે એમને ક્ષણભર ક્ષોભ પણ થાય : કે રખેને આ પિંજરનું પંખી મુક્ત ગગનમાં ઊડી જાય ! એક સાંજે ઉપવન-વિહાર કરી સુવ્રતકુમાર પાછો વળી રહ્યો હતો, ત્યાં માર્ગમાં એને આચાર્યશ્રી ધર્મઘોષ ભેટ્યા. એમને જોતાં જ સુવ્રતનું મન આનંદથી ઊભરાવા લાગ્યું. એને લાગ્યું કે હું જે શોધતો હતો તે આ જ છે. ભવનું ભાતું ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy